SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત સુણી સાંભલી ચેતે આપ, કરિ યાત્રા ન કરે પાપ; હોય દામ તો કીજે કામ, ભુવન કરાવી રાખે નામ. ૨૧૧૬ એશિ વાટે હોયે સાવધાન, ગાંઠિ ધન તો દે બહુ દાન; નબળા જળ પોટલીઆ પાય, તિહાં થોડું દીધું બહુ થાય. ૨૦૧૭ નબલો ખાંડ સેર ત્યે સાથિ, ઘોળી જળમાં કે અન્ય હાથિ; ઈસી વાત કહી જગનાથિ, પુણ્ય ઉપાડી ન સકે બાથિ. ૨૧૧૮ સૂરજકુંડમાં નાહતાં અઢળક પુણ્ય થાય તેમજ ભીમકુંડમાં નાહતાં પાપો દૂર થાય. વિષ્ણુકુંડ અને તેની પાસે ખોડિયાર કુંડમાં ન્હાઈ, ઋષભદેવને પૂજીને દેહ નિર્મળ કરીએ. જ્યાં અદબદજીનું દહેરું તે મરુદેવીની ટૂંક જઈ સામકુંડના જળમાં દેહ પખાળો. ઈશ્વરકુંડ પાસે જસુ ઠક્કરે બનાવેલા વિશાળ સરોવરમાંથી જળ લઈ પખાળ કરો. આ પ્રમાણે પખાળ કરી, પાપો દૂર કરી, કોટિ આત્માઓ આ ગિરિએ મોક્ષે ગયા. નમિ અને વિનમિ બે વિદ્યાધરો બે ક્રોડની સાથે મુક્તિ પામ્યા. દ્રાવિડ અને વારિખીલ મુનિવરો દસ ક્રોડની સાથે મુક્તિ પામ્યા. શાંબ અને પ્રકુમાર સાડા આઠ કરોડની સાથે અહીં મોક્ષે ગયા. ત્રણ ક્રોડની સાથે રામચંદ્રજી અને એકાણુ લાખની સાથે નારદજી, વીસ ક્રોડની સાથે પાંડવો તથા એક હજારની સાથે થાવગ્ગાપુત્ર અણગાર મોક્ષે ગયા. સાત હજારની સાથે શુક તાપસ અને પાંચસોની સાથે શેલક અણગાર મોક્ષે ગયા. વળી ઋષભના વંશમાં અસંખ્ય પાટ સુધી શત્રુંજય ઉપર શુભગતિ પામ્યા. ' જેમ સૂર્ય અંધકારને ટાળે તેમ આ ગિરિરાજ પાતકના પૂરને દૂર કરે છે. જ્યાં એકસો ને આઠ શિખર છે એને જોવાથી સિદ્ધગતિ પમાય છે. શેત્રુંજી નદી ગંગા જેવી છે. એમાં સઘળાં પાપ ધોવાય છે. વળી આ પર્વત પર જ્યાં રત્નાકર અને રસકૂંપી છે ત્યાં સોના અને રત્નના ભંડાર છે. ચલણ તલાવડી અને ઉલખા ઝોલને જોવાથી પાપો દૂર થાય છે. તે ગિરિરાજ ઉપર ઋષભદેવ પૂર્વનવાણુ વાર પધાર્યા છે. ચૈત્રી પૂનમનો દિવસ પ્રસિદ્ધ છે, જે દિને પુંડરીકસ્વામી પાંચ ક્રોડની સાથે મોક્ષે ગયા. આ દિવસે જે ઉપવાસાદિ કરે એને ક્રોડગણું પુણ્ય મળે. વળી અહીં પાંચસો ધનુષ્યની રત્નમણિમય પ્રતિમા છે. જે એકાવતારી હોય તે જ એનાં દર્શન પામે. પશ્ચિમ દિશામાં સોવન ગુફામાં એ પ્રતિમા ભંડારાયેલી છે. એ. પ્રતિમા ભરત મહારાજાએ ભરાવેલી છે જેને દીઠે ભવનો અંત આવે. આવો શત્રુંજય જ્યાં છે ત્યાં સંવત ૧૬૫૦માં, ચૈત્રી પૂનમને દિને હીર મુનીશ્વર આવ્યા. સાથે બોંતેર સંઘવીઓ હતા. એમાં શાહ શ્રીમલ, સંઘવી ઉદયકરણ, તેજપાલ, ઠાકર કીકા, કાલા, શાહ મનજી, સોની કલો, પાસવીર, શાહ સંઘા, શાહ સોમા, ગાંધી કુંવરજી, બાહુઆ, શાહ તોલો, વોરા વરજાંગ, શ્રીપાલ શાહ શ્રીમલ્લ સંઘવી અનંગ વગેરે હતા. એમની સાથે રાણાની જેમ હીરસૂરિ ચાલે છે. રાજા વિક્રમ અને (મંત્રીશ્વર) વસ્તુપાલની જેમ તેઓ હોંશપૂર્વક શત્રુંજય આવ્યા. પાંચસો સેજવાલા હતા.
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy