________________
૨૧૪
શ્રાવક કવિ અષભદાસક્ત
જજીઓ ને ઘુંમો જગાતિ, ન કરે કોહોની તાતિ;
ભેંસ ભેંસા બલદ ને ગાય, કીજે એહની તુમ રક્ષાય. ૧૮૬૫ દિલીપતિ તે દેતો દાન, કીધાં ઈત્યાદિક કુરમાન;
ગુજ્જર ખંડમાંહિ તે આવે, હીરના સહુ ગુણ ગાવે. ૧૮૬૬ સત્યવાદી ભટ એક જ વાર, કરતો ગુમાન અપાર;
ભાણચંદ વાદ કરાવે, તેણી થાનકે જય પિણ થાવ. ૧૮૬૭ પાતશાહ કાશમીરે જાય, ભાણચંદ પુંઠે પિણ થાય;
પૂછે પાતશા ઋષિને જોય, ખુદા નજીક કોને વળી હોય. ૧૮૬૮ ભાણચંદ બોલ્યા તતખેવ, નજીક તરણી જાગતો દેવ;
તે સમજ્યો કરે બહુ સાર, તસ નામેં સદ્ધિ અપાર. ૧૮૬૯ હુઓ હકમ તે તેણીવાર, સંભલાવે નામ હજાર;
આદિત્યને કરતાય નેક, આદિ દેવમાં ઘણો જ વિવેક. ૧૮૭૦ અરીમર્દન ને સાહસકરણ, અંબરભૂષણ ને શુભવરણ;
એક ચક્ર ને સપ્ત કુરંગ, રવીરાજ ને અચલ અનંગ. ૧૮૭૧ હંસભાસકર શનશરતાત, દિવાકરની મોટી વાત;
સુરદિનમણી દીપત ભાણ, વરુણ દેવનું કરત વખાણ. ૧૮૭ર વિશ્વેસર જગદાધાર, કમલાકર દેવ અપાર;
સવિતા તરણી શુભ નામ, મહિમાવંતથી થાયે કામ. ૧૮૭૩ જગજીવન ને જનાનંદ, સુલોચન નામે આનંદ; - ઈત્યાદિક નામ હજાર, સંભલાવે તે મુનિવર સાર. ૧૮૭૪ તેમજડિત બાજોઠ એક કીધો, ભાણચંદને બેસવા દીધો;
શાહ અકબર જગે વિખ્યાત, સાહસ નામ સુણે જોડી હાથ. ૧૮૭૫ આદિત્યવારનો દાડો જ્યારે, સહસ નામ સુણતો ત્યારે
અનુકરમેં કાશિમિર આવે, પાતશાહનું રહિવું થાવ. ૧૮૭૬ લંકા જૈન તિહાં જ તલાવ, આલીસ કોશ ભર્યું જલ સાવ;
તિહાં ડેરા શાહ તણાવે, દિન આદિત્યવારનો આવે. ૧૮૭૭ ભાણચંદ પ્રગટ તિહાં થાવે, સહસ નામ આદિત્ય સંભલાવે;
ટાઢ સબલી અંગે વાય, લહિર લાગી તિહાં દોહિલા થાય. ૧૮૭૮ અનેકૌષધ શ્રીજી કરતા, થઈ હુંશીયાર મુખે ઉચ્ચરતા;
તુમ સાથે જે નર આવ્યા, પામ્યા પરગણા કેતા ફાવ્યા. ૧૮૭૯ ગજ અશ્વ ને મુનસબ ગામ, પામ્યા કાંઈ દુનીઓ દામ;
અમ્યો તો પામી ટાઢ્ય, લહિર લાગે અહ્મને હાડ્ય. ૧૮૮૦ પા. ૧૮૭૦.૨ કરતા અનેક ૧૮૭૧.૨ સમતુરંગ ૧૮૭૩.૨ સમતા ૧૮૮૦.૧ મનસ્યપ ટિ. ૧૮૭૦ થી ૧૮૭૪ સૂર્યનાં વિવિધ નામો.