________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૧૩
(ઢાળ ૭૬ - ઇસ નગરીકા વણઝારા. એ દેશી.) હીર રાધનપુર માંહિ આવે, તિહાં ઉચ્છવ સબળો થાવે;
આવ્યું સેગુંજનું ફરમાન, થયું ભાણચંદ્રને માન. ૧૮૫૦ સિદ્ધપુર નગરનો વાસી, શાહ રામો પુણ્ય અભ્યાસી;
રમા માતાનું નામ, સુપને ગજવર લહે અભિરામ. ૧૮૫૧ પૂરે માસે સુત જે જાયો, નામ ભાણજી તિહાં કણિ થાયો;
ભાણનિ પેરિ દીપતો જાય, ચઢતે પખે ચંદ કળાય. ૧૮૫૨ સાત વરસનો સુત જવ થાય, નેસાલિ ભણવા જાય;
દસ વરસનો સુત જવ હોય, ભણી પંડિત થાયે સોય. ૧૮૫૩ પહિલો વડ બંધવ અભિરામ, સાત રંગો તેહનું નામ;
બેહૂ બંધવ સુંદર ખાસ, મળ્યો સૂરચંદ પંન્યાસ ૧૮૫૪ દેસના તિ િસુંદર દીધી, બિહું ભાઈએ દીક્ષા લીધી; | સકલ ગ્રંથ ભણ્યા નર જ્યારે, થઈ પંન્યાસ પદવી ત્યારૅ. ૧૮૫૫ બહુ ચેલાનો પરિવાર, થયો દિનદિન બહુ વિસ્તાર;
લહ્યા હીર ગુણવંત જામ, મોકલ્યા પાદશાહે તામ. ૧૮૫૬ મલ્યા અકબર શાહનિ જ્યારે, ખુસી પાતશા હુઓ ત્યારે;
શેખને પિણ સેવક કીધો, હુઓ ભાણચંદ પ્રસિદ્ધો. ૧૮૫૭ જાંગીરસા ને દાનીઆર, ભણે જૈન શાસ્ત્ર તિહાં સાર;
કહે અકબર ગાજી મીર, ભાણચંદ તે અવલ ફકીર. ૧૮૫૮ એક દિવસ અકબર સાહિ, શિર દુખે વેદના થાય.
કીધા વૈર્થે ઘણા હી ઉપાય, તન સમાધિ કિમે ન થાય. ૧૮૫૯ - વેગે તેડ્યો તિહાં ભાણચંદ, દેખી અકબર હુઓ આણંદ;
લઈ મસ્તકે મૂક્યો હાથ, વેદના તવ ઓછી થાત. ૧૮૬૦ જપે પાકુમરનો જાપ, નાઠી વેદન પુધ્ધિ જ્યમ પાપ;
ખુસી હુઓ અકબરસાહિ, જૈન દર્શન મુનિ સાચાય. ૧૮૬૧ દીયે મોહોલ જરૂખે આવે, ઉંબરા પંચસે ગાયો લાવે;
પૂછે અકબર કહે કયું આણી, બોલ્યા ઉંબરા પાપી પ્રાણ. ૧૮૬૨ શિર ચંગા હુઆ જ તુલ્બારા, દિલ ખુશાલ હુઆ જ હમારા;
કરે મહેમાની મારી ગાય, તવ ખીજ્યો અકબર સાહ. ૧૮૬૩ તેડ્યા ભાણચંદ ઋષિરાય, બગસીસ કરી સહુએ ગાય;
કછુ માગો તુહ્મ ગુરુ ઔર, દેઉં વસ્તુ અનેરી બોહોર. ૧૮૬૪ પા. ૧૮૫૭.૨ શેખની પણિ સેવા કીધી ટિ. ૧૮૫૨.૨ પખે = પક્ષે, પખવાડિયામાં ૧૮૬૪.૨ બોહોર = ઘણી