________________
૧૮૮
* શ્રાવક કવિ ઋષભદાસકૃત
હીર રહ્યા સિરોહી માંહિ, શાહ વરસંગ વિવહારી ત્યાં હિં;
નાહનો નવ યૌવન ધનવંત, વિહવા મળ્યો લહી ગુણવંત. ૧૯૨૪ ઘરે કીધાં પોઢાં પકવાન, મૃગનયણી કરતી તિહાં ગાન;
ઘાલ્યા મંડપ તોરણ બારિ, જિમે સગાં સહુ નર ને નારી. ૧૯૨૫ ઈણિ અવસર વરસંગ કુમાર, ઉપાસરે પોહતો નર સાર;
વાંદે પડિકમે પુરુષ અપાર, શિર ઓઢી ગણતો નવકાર. ૧૬૨૬ આવી વાંદવા કુમરી નારિ, વરસિંગ ન લહ્યો તેણે ઠારી;
વરસતાં વાદ્યો ઋષિ લહી, શ્રાવક એક હસ્યો ત્યાંહી સહિ. ૧૯૨૭ તુમને વાંદે તુહ્મારી નારી, સીદ પડો છો તમે સંસારિક
તુહ્મને એહ જણાવી જાય, તુમે ચેતજો વરસંગ સાહ. ૧૬૨૮ કહે વરસંત તું કાંઈ હસેસ, એહ વાંદયે તસ્યુ કરેશ;
પોતે ઘર આવ્યો ગુણ ખાણિ, મુજ પરણવા જિનની આણ. ૧૬૨૯ માતા પિતા મળીઓ પરિવાર, કસ્યું ન પરણે તુંહ કુમાર;
ખિણમાં સ્સો આવ્યો વઈરાગ, અવસર લહીને કરજો ત્યાગ. ૧૬૩૦ કહે વરસંગ અવસર એ લહ્યો, કાઢ્યો બોલ પાળવો થયો;
સ્ત્રીમેં પચાર્યો ન રહ્યો ધનો, લેતો સંયમ થઈ એકમનો. ૧૬૩૧ મુનિ પચાર્યો શ્રાવકે સહી, જવ એ કન્યા વાંદી ગઈ; - હવે ન માંડું ગૃહસ્થાધર્મ, જો કંઈ લજ્યા હોઈ શર્મ. ૧૯૩૨ ફરી મા કહેશ્યો માત ને તાત, કે સંયમ કે આતમઘાત;
મૂકી બેઠો ચારે આહાર, આપી અનુમતિ તેણી વાર, ૧૬૩૩ જે પકવાન વિવાહને કર્યું, તિણે પેટ સાતમીનું ઠર્યું;
ખરચી ધનને સંયમ લીધ, હીરે તેમને દીક્ષા દીધ. ૧૯૩૪ તે હુઓ વરસિંગ રૂષિ પંન્યાસ, એકસો આઠ શિષ્ય મળીઆ તાસ;
એ સહુ હીર તણો પરિવાર, હીરના ભાગ્ય તણો નહિ પાર. ૧૯૩૫ સિરોહીમાંહી રહ્યા હીર જામ, મહિમા દેવ પર્વે વાધ્યો તામ.
કારણ સોય સુણો નર ભલા, દીવાન માહી રાખ્યા સાવલા. ૧૬૩૬ રા'સુલતાન ન મુંકે જસે, ઘણા દિવસ વોળી ગયા તમેં;
માંગે દંડ ગુના વિણ રાય, મૂકે નર નહિ કિયે ઉપાય. ૧૯૩૭ શ્રાવક સઘળા દોહિલ્યા થાય, ધન નવિ આપે કરિ ઉપાય;
સુપાસ તણી પૂજા આદરે, શ્રાવક સહુ આંબિલતપ કરે.૧૬૩૮
પા. ૧૬૨૯.૨ પારી ઘર ટિ. ૧૬૨૭.૨ વરસતાં = ભ્રાંતિમાં ૧૬૩૧.૨ પચાયૅ = ઉપાલંભ આપ્યો, મહેણું માર્યું
૧૪.૧ સાતમી = સાધર્મિક