________________
૧૮૪
શ્રાવક કવિ ઋષભદાસકૃત
(ઢાળ ૬૯ – ઇતને કેતાઈ ઈતના કયા કરણા, રાગ આશાવરી) શ્રીજિનશાસન ચંદો રે એહો, ડભોલમાંહિ વરસાવ્યો મેહો. શ્રી જિનશાસન ચંદો રે.
૧૫૯૭ અનેક ગામેં દેહરાં પોસાળો,
જિહાં ચંદરૂઆ બાંધ્યા વિશાળો, શ્રી જિનશાસન. ૧૫૯૮ લહિણી રે લ્યાહારી ભરૂઅચી થાલી;
એણે દીપાવ્યો વંશ શ્રીમાલી. શ્રી જિન. ૧૫૯૯ દુરભિખ્ય કાળે અન્ન ઉવારી;
શાહ જસીઆની કીરતિ વધારી. શ્રી જિન. ૧૬૦૦ તેત્રીશ લાખ રૂપક પુણ્ય કાજે રે આવે;
અમારિ તણું પુણ્ય લખ્યુંઅ ન જાવે. શ્રી જિન. ૧૬૦૧ સમરો સારિંગ જગડુ રે જેહો;
તુમ દીઠે દીઠા નર તેહો. શ્રી જિન. ૧૬૦૨ ઉત્તમના ઉત્તમ હુએ પ્રાહિ; પારિખ નેમિ વડો ગછ માંહિ; શ્રી જિન.
૧૬૦૩ સંઘપતિ તિલક ધરાવ્યું રે જેણે
ગિરિ શેત્રુંજો ફરશ્યો રે તેણે. શ્રી જિન. ૧૯૦૪ : રાજી વજીઆનું રાખ્યું રે નામો;
ચઢત ચઢત કરે ઉત્તમ કામો. શ્રી જિન. ૧૬૦૫ શ્રી જિન આગન્યાનો રે વહેનારો;
ઋષભ કહે એ પુરુષ સુ સારો. શ્રી જિન. ૧૬૦૬ હીરગુરુના શ્રાવક કુબેર સમા છે. હીરગર શિરોહીમાં રહ્યા. શ્રાવકો વરસીદાન વરસે છે. શિરોહીમાં રહી હીરગુરુએ ઋષભદેવની ચોમુખજીની પ્રતિષ્ઠા કરી. ત્યાંના શ્રાવક આસપાલે કોટિ ધન ખરચ્યું. અને જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. તેજા હરખા જામના શ્રાવકે અજિતનાથની સ્થાપના કરી. ખર્ચનો તો કંઈ પાર નહોતો. આબુગઢની યાત્રાએ જઈ પાછા વળ્યા ત્યારે સુલતાને આવી નમસ્કાર કર્યા અને ઘણી અનુમોદના કરી. કર નહિ લેવો, અન્યાય ટાળવો ને અમારિ પ્રવર્તાવવી એવો એણે નિર્ણય કર્યો. શિરોહીમાં રહેવા હીરને કહ્યું જેથી નરનારીની આશા ફળે. પંજો મહેતો જે પ્રધાન છે તેણે વિનંતી કરીને ગુરુને શિરોહીમાં રાખ્યા.
ત્યાં એક વાર ગુરુને રાત્રે સ્વપ્ન આવ્યું કે હાથીનાં ચાર નાનાં બચ્ચાં સૂંઢથી પા. ૧૬૦૧.૧ તીન લાખ ટિ. ૧૬૦૦.૧ દુરભિખ્ય = દુર્ભિક્ષ, ભયંકર