________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૮૩
અનાજ આપે છે. ભમતાભમતા કેટલાક પુરુષો શિકારપુર આવ્યા. ત્યાં એક ઘરમાં નવ જણ માંદા છે. ઓરવા માટે મગ પણ નથી. પુરુષને તેડીને એને છાનું આપવા માંડ્યું. ત્યારે તે ઘરની સ્ત્રી કહે છે કે જો તમે ધન લેશો તો હું ઝેર ખાઈશ. આ રીતે સમ્યકત્વ, શિયળ, સત્ય, ધીરજને ધારણ કરનાર કોઈ વિરલા જ હોય છે. દુઃખમાંયે દાન આપે ખરા, લે નહીં એવા જગમાં વિરલા જ હોય છે.
મુનિવરમાં ગુરુ હીરજી, અસુરે અકબ્બર સાર; તિમ વાણિગ વંશમાં રાજીઓ, દયા દાન નહિં પાર. ૧૫૮૯
(ઢાળ ૬૮ - મૃગાવતીના રાસની). પાર નહિ રાજીઆના પુણ્યનો, ઘોઘલે ન હણે જીવ રે; ગુજ્જર ખંડ આખે હોઈ પાતિગ, તેહથી બહુઅ સદીવો રે
જીવો રે સુદીવો રે તું જિનશાસનચંદો રે. આંચલી. ૧૫૯૦ વિણ કોલી એક વાહાણ વડેરું, લેઈ ગોવામાંહિ આવે રે;
મારતા નર બહુઅ મુકાવ્યા, ધન પાછું જ અલાવે રે. જી. ૧૫૯૧ સંવત સોળ એકસઠો જ્યારે, દુરભિખ્ય કાળ હુઓ ત્યારે રે;
સ્માર હજાર મણ કણ તવઆલ્યા, વણિગવંશ ઉગારે રે. જી. ૧૫૯૨ રૂપક રોકડા બહુને આલ્યા, ઘણું ગુપતિ તે દાનો રે;
ફરે પુરુષ પારેખ વજીઆના, આપે અન્ન નિધાનો રે. જી. ૧૫૯૩ ફરતા પુરુષ તે ભમતા આવ્યા, વસે શિકારપુર જાહિ રે;
એક ઘરમાં નવ જણ છે માંદા, મગ ઓરવા નહિ ત્યાં હિરે. જી. ૧૫૯૪ છાનું તેમનું માંડ્યું આલવું, તેડ્યો પુરુષને જામો રે; - સ્ત્રી કહે હું વિષ ખાઈશ વેગે, લેસ્યો જો હવે દામો રે. જી. ૧૫૯૫ સમકિત શીળ સત ધીરજ ધોરી, દીસે છે જગ કોઈ રે;
દિયે દાન નર નલિયે દુખમાં, એ જગિવિરલા હોઈશે. જી. ૧૫૯૬
જિનશાસનના આ ચંદ્ર ડભોલમાં મેહ વરસાવ્યો – અઢળક દ્રવ્ય ખરચ્યું. અનેક ગામોમાં દહેરાં, પોસાળો બંધાવ્યાં, ને વિશાળ ચંદરવા બાંધ્યા. ત્યાહારી અને ભરૂચની થાળીની લહાણી કરીને એણે શ્રીમાળી વંશ દીપાવ્યો. દુષ્કાળના સમયમાં અન્ન આપી શાહ જસિયાની કીર્તિ વધારી. તેત્રીસ લાખ રૂપિયા પુણ્ય કાજે ખરચ્યા. અમારિનું પુણ્ય તો લખ્યું જાય એમ નથી. આગળ સમરો, સારિંગ ને જગડૂશા થયા તે કેવા હશે એ તમને જોઈને પામી શકાય. ઉત્તમની પ્રજા ઉત્તમ થાય છે. પારીખ નેમિ ગચ્છમાં વડો છે. એણે સંઘપતિનું તિલક કરાવ્યું ને શત્રુંજયગિરિની સ્પર્શના કરી. એણે રાજિયા-વજિયાનું નામ રાખ્યું. ચડિયાતાં ઉત્તમ કામો કર્યો જિનાજ્ઞાનું પાલન કરનાર પુરુષ શ્રેષ્ઠ છે. પા. ૧૫૯૪.૧ શકરપુર