SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ઋષભવચન સુણી ભુવન કરાવે, મણિમય મૂરતિ ભરત ભરાવે. એક વચન. દંડવીર્ય ને સગર જ રાયો, કરી ઉદ્ધાર નર મુગતિ રે જાયો. એક વચન. સંપ્રતિરાયની વાત પ્રસિદ્ધિ, જિનમંડિત તેણે પૃથ્વી કીધી. એક વચન. આમરાય ને કુમરનરિંદો, જિનમંદિર કરે ધરી રે આનંદો. એક વચન. વિમલરાય વસ્તપાળ હુઆ જ્યારે, જિનમંદિર કરી આતમ તારે. એક વચન. પારખ રાજીઆ વજીઆ જોજો, પડતે કાળે હુઆ નર દોજો. એક વચન. પાંચ પ્રાસાદ તે પ્રગટ કરાવે, કનક રયણમઇ બિંબ ભરાવે. એક વચન. રજત પીતલ પરવાલી રે બિંબ, થાપી કીરતીના રે થંભ. એક વચન. ગયા નહીં તે થિર કહેવાય, શ્રાવક કવિ ઋષભદાસકૃત જેહના જસ જગમાંહિ રે બોલાય. એક વચન. અનેક બિંબ પાષાણમેં રે કીધા, દેશે દેશે પૂજું પ્રસિદ્ધા. એક વચન. પા. ૧૫૬૭.૧ આગેના તીરથ કહેવાએ જેહ ટિ. ૧૫૬૫.૨ કનકરયણમઈ = કનકરત્નમય ૧૫૫૯ ૧૫૬૦ ૧૫૬૧ ૧૫૬૨ ૧૫૬૩ ૧૫૬૪ ૧૫૬૫ ૧૫૬૬ ૧૫૬૭ ૧૫૬૮ ખંભાતમાં શ્રી ચિંતામણિ અને સ્થંભન પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. ગંધારમાં નવપલ્લવ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. નેજા ગામમાં જિનમંદિર કરાવી એમાં ઋષભદેવને પધરાવ્યા. વડોદરામાં બે મંદિર કરાવ્યાં. એક કરેડા પાર્શ્વનાથનું ને બીજું નેમિનાથનું. આ રીતે પાંચ જિનપ્રાસાદો તથા અનેક જીર્ણોદ્ધાર કર્યાં. સં. ૧૬૪૪ના જેઠ સુદ ૧૨ને દિને વિજયસેનસૂરીશ્વરને હાથે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. આબુ, ગોડી અને રાણકપુરની યાત્રા કરાવી સંઘવીનું તિલક શિરે કરાવ્યું. કલિકાળમાં પણ આવા પુરુષો થયા જેનાથી પ્રભાવિત થઈ અકબરશાહ તેમનો કર લેતા ન હતા. તેઓ બધા ઉપર પ્રેમ રાખતા જેથી બધા ફિરંગીઓ એમને શિર નમાવતા. અમારિ (અહિંસા) પ્રવર્તાવી માછીમારોને અટકાવ્યા ને કોટિ માછલાંને ઉગાર્યાં : ઘેટાંબકરાં, ગાયભેંસ અને પંખીઓ રાજિયાના ગુણ ગાય છે. આપણે અહીં પેદા થયા તેનો હરખ છે કેમકે અહીં રાજિયાએ આપણી સાર કરી છે. અન્ય દેશમાં પેદા થયા હોત તો મરાયા હોત, ત્યાં અભયદાન કોણ આપત ? એણે ઉપકારી વચનો કહ્યાં ને ગામ-નગર ભાંગતાં રાખ્યાં. અકબરે
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy