________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૮૧
અન્યાય, દંડ દૂર કરી અનેકને જેમ બંધનમાંથી છોડાવ્યા તેમ જે ચોર રાજિયાની નજરે પડ્યા તેમને છોડી મૂકવામાં આવ્યા.
. (ઢાળ ૬૬ - ચંદાયણાની.) શ્રીચિંતામણિ થંભણ પાસો, ત્રંબાવતી પ્રાસાદિ રે વાસો;
એક પ્રાસાદ ગંધારે ખાસો, ત્યહાં બેઠા નવપલ્લવ પાસો. ૧૫૬૯ એક નેજ જિનભુવન કરાવે, ત્રટખભ તણી પ્રતિમા જ સોહાવે;
બાદોડે દોએ ભુવન વિખ્યાતો, પાસ કરેડો ને નેમિ નાથો. ૧૫૭૦ પાંચ પ્રાસાદ કીધા એ સારા, અનેક કીધા જીરણ ઉદ્ધારા;
ચેત્યા પુરષ તે આપ સંભાળે, બિંબ–પ્રતિષ્ઠા કરીરે મ્યુઆલે. ૧૫૭૧ જેઠ માસ સુદિ બારસિ જ્યારે, બિંબ થપાવી આતમ તારે;
- વિજયસેનસૂરીશ્વર હાથે, ચિંતામણિ થાપ્યા નિજ જાતે. ૧૫૭૨ આબુ ગોડી રાણકપુરિ જાય, તિલક શિર્વે કરી સંઘવી થાય;
કલિકાળે હુઆ પુરુષ સુજાણો, શાહ અકબર મૂકે જસ દાણો. ૧૫૭૩ પ્રેમ ધરિ પ્રતિકાલનો રે સ્વામી, સકલ ફિરંગી રહે શિર નામી;
કરી અમારિ ને માછી રે વાર્યા, કોડિ અનંતી મચ્છ રે ઉગાર્યા. ૧૫૭૪ અજા મહિષ મહીષી રે ગાય, પંખી ગુણ રાજીઆના રે ગાય;
અહિ ઉપનાતે હરખ અપારો, કરે રાજીઓ આપણી રે સારો. ૧૫૭૫ અન્ય અમ દેશમાં ઉપજી મરાતા, કોણ હોત અભયદાનનો રે દાતા;
વળી ઉપગારી વચન જેણે ભાખ્યાં, ગામ નગર ભાજેતારે રાખ્યાં ૧૫૭૬ અકબરે અન્યાય દંડ વાર્યા, જેણે અનેક બંધ મુકાવ્યા;
તિમ રાજીઆની દ્રષ્ટિપડ્યા જે ચોરો, તેહને ગળે આવ્યા નવિ દોરો. ૧૫૭૭
રાજિયાના એટલા ગુણ છે કે કહેતાં પાર ન આવે. એક વખત ચેઉલનો એક ખોજગી કેદ પકડાયો. બીજા પણ ઘણા લોકો બંધનમાં હતા અને ફિરંગી તેમને છોડતા નહોતા. તે સહુને ગોવા લઈ જવાયા ને એમનાં શરીર દુર્બળ થઈ ગયાં. તે વખતે રાજિયો વીજવેજલની પાસે પહોંચ્યો અને તેમને બંધનમુક્ત કર્યા. એની મર્યાદા કોણ લોપે ? ખોજગીનો એક લાખ લ્યાહારીનો દંડ કરાયો. એની પાસે કંઈ હતું નહીં. એનો જામીન પણ કોઈ થાય નહીં. એણે રાજિયા પારેખનું નામ લીધું. ત્યારે વિરેજલે ખોજગીને બોલાવીને તત્કાલ છૂટો કર્યો. એને વખાર લાવવામાં આવ્યો. એ મરવા પડ્યો. સૌ કહે એની પાસેથી શું લેવાનું હોય ? રાજિયો કહે ભગવાન એનું ભલું કરશે. ધર્મથી વિઘ્ન ટળશે. ખોજગી પછી સાજો થયો. ચેઉલ બંદરે ગયો ને લાખ ત્યાહારી મોકલ્યા ને પારેખના ગુણ ગાવા લાગ્યો. એકવાર તેલાધરને દિવસે ૨૨ પુરુષોને પગમાં બેડી નાખી બાંધી લેવાયા. ખોજગી તલવાર કાઢી જેવો ઘા કરવા જાય ટિ. ૧૫૭૧.૨ ટ્યુઆલે = ૪૪માં ૧૫૭૭.૨ ગળે આવ્યા નવિ દોરો = ગળે દોરો ન આવવો,
બંધનમાં ન પડવું.