________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૭૯
ચાલીસ હજાર રૂપિયા ખરચ્ય, સફળ કર્યો અવતારો;
હીરના શ્રાવક ઈદ્ર સરીખા, એક એકર્ષે સારો. હી. ૧૫પર હીરગુર સીરોહીઓં આવે, વિજયસેન ત્યાં મલીઆ;
ચંદ-સૂર એક થાનકિં દેખી, સંઘમનોરથ ફળીઆ. હી. ૧૫૫૩ વિજયસેન ગુજરાત મુહુતા, ત્રંબાવતીમાં આવે;
રાજીઆવપુઆ કરેં પ્રતિષ્ઠા, નરભવ લહીતે ફાવે હો. હી. ૧૫૫૪
વજિયા-રાજિયા પારેખ જૈનશિરોમણિ હતા. જિનમતવાસી, જિનભક્તિ કરનારા, માથે જિનની આણ ધરનારા, જિનપૂજા કરી પાતક હણનારા, જિનના પાય વંદનારા અને જિનરાયનું વચન જ હૈયે ધારણ કરનારા હતા.
ઋષભદેવની વાણી ભરત મહારાજાએ સાંભળી કે જે શ્રાવક જિનબિંબ ભરાવે તેને ઘણું પુણ્ય થાય. એમ કરવાથી અસંખ્ય કાળ સુધી જિનેન્દ્ર-પૂજા થઈ શકે. આ વાણી સાંભળી ભરતે મણિમય જિનબિંબ ભરાવ્યાં. દંડવીર્ય અને સગર ચક્રવર્તી રાજા થયા જેમણે તીર્થોદ્ધાર કરી મુક્તિ મેળવી. સંપ્રતિરાજાની વાત તો પ્રસિદ્ધ છે જેણે (સવા લાખ ચૈત્ય કરાવી અને સવા ક્રોડ જિનબિંબ ભરાવી) પૃથ્વીને જિનમંડિત કરી. આમરાય, કુમારપાળ, વિમલશાહ, વસ્તુપાળ સૌએ જિનમંદિરો કરી આત્માને તાર્યો. એ જ રીતે આ રાજિયો-વજિયો પારેખ પડતા કાળમાં થયા. તેમણે પાંચ પ્રાસાદ કરાવી કનકરત્નમય તેમ જ રજત-પિત્તલ-પરવાળાંનાં બિંબ ભરાવીને કીર્તિસ્થંભ સ્થાપ્યો. જેનો જશ જગમાં ગવાય તે ગયેલા નહિ પણ સ્થિર કહેવાય. તેમણે ભરાવેલાં પાષાણનાં અનેક બિંબોની દેશદેશમાં પૂજા થાય છે.
(દુહા) પારેખ વજીઆ રાજીઆ, જૈન શિરોમણિ જાણ;
જિનમતવાસી જિન જપે, સિર વહે જિનની આણ.૧૫૫૫ જિન પૂજે પાતિગ ગમે, પ્રણમેં જિનના પાય;
સોય વચન અડે ધરે, જે ભાખે જિનરાય. ૧૫૫૬ (ઢાળ ૬૫ – ઉન્નત નવ યોવન મારું – રાગ રામગિરી) એક વચન જિન તાહરું,
બિંબ ભરાવી ને પૂજો ભવિ પ્રાણી; બિંબ ભરાત્રે બહુ પુણ્ય થાયે,
અસંખ્ય કાળ લગે જિનેંદ્ર પૂજાયે. એક વચન. ૧૫૫૭ જિનનાં ભુવન કર્યું પુણ્ય સારો,
ભરત તણી પરિ પામે રે પારો. એક વચન. ૧૫૫૮