________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૬૫
એક વણિક ઘર લખિમી ભરી, આપે કરજ તે લોકને ફરી;
એક ખત્રીને આપ્યા દામ, કરતો ઉઘરાણીનું કામ. ૧૪૧૭ એક દિન ખત્રાણી તસ નારિ, ઊઠી વેગે ઘણું પોકારિ;
વળગ્યો વાણિયો એ મુજ સહી, વઢતાં વાત અકબર કે ગઈ. ૧૪૧૮ પૂછે પાતશાહ ક્યા મામલા, ખત્રી કહે વાણિગ નહી ભલા;
બુરા કામ કીના ઇને સહી, મુંહસું બાત ન જાએ કહી. ૧૪૧૯ ખીજ્યો પાશા બહુ મનમાંહિ, તેડ્યો વાણિયો અળગો ત્યાંહિ;
કે સાચી કે જૂઠી વાત, માંડી ખરો કહે અવદાત. ૧૪૨૦ કહે વણિગ એ મૂઠો ધારિ, દામ માંગતાં વળગી નારિ;
થઈ ફજેત કલંક મુજ દિઓ, સૂધો ન્યાય કુણ નહું કિયો. ૧૪૨૧ પૂછે પાતશાહ વળિ વાંક, ભીતર તુંહિ પાક નાપાક;
કહે વણિગ નાપાક મુજ ધારિ, રાખ્યો અળગો તેડિ નારિ. ૧૪૨૨ પૂછે પાતશા કહો અવદાત, કિયા હરામ વણિગ કમજાત;
બોલે પાતશા જોર ક્યું થાય ? ફેરું સુઈ દોરા કયું બાય. ૧૪૨૩ મરદ આગે જોરુ ક્યા કરે, એક ગયંદ કરિણી સબ ડરે;
એક પાતશા દુનિયાંકા નાથ, સોલસ સ્ત્રી જોડે હાથ. ૧૪૨૪ હસે પાતશા એણે ઠારિ, દિલશું ખોટી જાણી નારી;
પૂછે પાતશા કછુ જાણિયા, પાક નાપાક સા બાણિયા.૧૪૨૫ મુંડી દાઢી દેખી કરી, બોલી નારી ધીરજ ધારી;
વણિગ પાક ! મેલો નહિ માંહિ, વસ્ત્ર કઢાવે પાતશા ત્યાંહિ. ૧૪૨૬ મુંડી દાઢી છર નવ ગ્રહ્યો, ઉતાવળો જ અધૂરો રહ્યો;
નાપાક સહુએ દીઠો મૈિં, થઈ ફજેત ખત્રાણી તિસેં. ૧૪૨૭ દઈ ઈંજાર અલાવ્યા દામ, એહવાં ઘણાં છે બુદ્ધિનાં ઠામ;
જાણું આવ્યો અભયકુમાર, દયાવંત કુંવર નર સાર. ૧૪૨૮ ઋદ્ધિ જાણે ભરતનરિંદ, બળે કરી જેહવો ગોવિંદ;
જ્ઞાને કરી બૃહસ્પતિ દેવ, હિંદુ અસુર કરતા જસ સેવ. ૧૪૨૯ એડવો અકબર અવલિઓ જોય, હર સંગથી ધર્મી હોય;
પાળે રાજ્ય કરે જીવ-સાર, હીર મુનિ પછે કરી વિહાર. ૧૪૩૦
વિહાર કરતાં હીરગુર અકબરની રજા માગે છે. ત્યારે અકબર કહે છે “સદા અહીં જ રહો. ફત્તેહપુર સારું ગામ છે.” ટિ. ૧૪૨૦.૨ અવદાત = વૃત્તાંત ૧૪૨૨.૧ પાક-નાપાક = પવિત્ર-અપવિત્ર ૧૪૨૪.૧ ગયંદ
= હાથી, કરિણી = હાથણી ૧૪૨૮.૧ ઈંજાર = ખાસડાં ૧૪૩૦.૧ અવલિઓ = ઉત્તમ,
અવ્વલ