________________
૧૬
શ્રાવક કવિ ઋષભદાસકૃત
હીર કહે છે, “સ્ત્રી પિયરમાં, પુરુષ સાસરે ને સાધુ સ્થિરવાસ રહે તો ત્રણે અળખામણાં થાય. આ ત્રણ કારણે અમે તો વિહાર કરીશું જ. દિલમાં મહેર – દયા ધરજો, ઈશ્વરને યાદ કરજો અને ભલાઈ છોડશો નહીં.” દિલ્હીપતિ બાદશાહ ત્યારે બે હાથ જોડી કહે છે “ખેર, મહેર અને તમારું નામ શું છોડીશ નહીં. કેમકે એ તો તરવા-તારવાની હોડી છે. બાજનો શિકાર કરીશ નહીં, ચિત્તા-વાઘને મારીશ નહીં, હરણ, રોઝ, સસલાં, સાબરને ઉગારીશ. રવિવારે કોઈ જીવને હણીશ નહીં. વર્ષની ત્રણ અઠ્ઠાઈ, વર્ષગાંઠને સંક્રાંતિને દિને જીવ મારીને ખાઈશ નહીં. જ્યાં જ્યાં મારી આણ છે ત્યાં કોઈ જીવને પકડે નહીં એવી વ્યવસ્થા થશે. અન્ય કાંઈ કામ કહો. તમે જાવ છો જ શા માટે ?” હીરગુરુ કહે છે “અમારા પટ્ટશિષ્ય વિજયસેનસૂરિ અમને બોલાવે છે. સાધુ ચલતા ભલા. તે ધર્મનો રાહ ચલાવે છે.” અકબર કહે “આપને યોગ્ય લાગે તેમ જ કરો. વિજયસેનસૂરિને એકવાર અવશ્ય અહીં મોકલશો.”
દુહા) વિહાર કરી ગુરુ હીરજી, માગે આજ્ઞા તામ;
અકબર કહે રહો ઈહાં સદા, ફતેહપુર ભલ ગામ. ૧૪૩૧ સ્ત્રી પીહર નર સાસરે, સંયમિ થિરવાસ;
એ ત્રયે અળખામણા, જો મંડિ થિર વાસ. ૧૪૩ર તિણ કારણ અમે ચાલશું, ધરજો દિલમાં મહેર; યાદ ખુદાકો કિજીયે, કદી ન છોડે ખેર.
(ઢાળ ૬૨) દિલીપતિ પાતશાહ અકબર, બોલે બે કર જોડી રે;
ખેર મહેર તુમ નામ ન છોડું, તરનતારન હોડી છે. દિલ્લી ૧૪૩૪ બેહરી બાજ શિકાર ન ખેલું, ચિત્તા વાઘ ન મારું રે;
હરિણ રોઝ સસા ઔર સાબર, સારકોં ઉગારું છે. દિલ્હી ૧૪૩૫ આદિતકે દિન જીવ ન મારું, બરષ તીન અઠ્ઠાઈ | બરષગાંઠ સંક્રાંતિ તણે દિન, મારી જીવ ન ખાઈ બે. દિ. ૧૪૩૯ ચોખંડ આણ ફરે જ્યાં માહરી, ઉહાં કો જીવ ન ઝલતે;
ઔર ભી કામ કહો કછુ કીજે, તુમ કાહકોં ચલતે બે. દિ. ૧૪૩૭ હીર કહે વિજયસેનસૂરીશ્વર, પાટવી ઓહી બોલાવે;
ફકીર સોહી ફિરતે જ ભલે રે, ધર્મકા રાહ ચલાવે છે. દિ. ૧૪૩૮ કહે અકબર દિલગીર ન હોયે, મન ભાવે ત્યોંઈ કીજે;
વિજયસેનસૂરિકોં બહાં ગુરુ, એક બેંર ભેજીજે બે. દિ. ૧૪૩૯ પા. ૧૪૩ર.૧ સહિવાસ ૧૪૩૪.૨ તીન નકકી હોડી ટિ. ૧૪૩૬.૧ આદિત કે દિન = રવિવાર
૧૪૩૩