________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૫૭
“વાદીગોકલસાંઢ વૃંદ થાય, તિમ તિહાં બોલ્યો અકબર શાહ;
જગત ગુરુ બિરુદ તે દેહ, હીર તણી શોભા વાધેલ. ૧૩૪૩ સારસ પરમુખ પંખી બહુ, રાતે અણાવી મુક્યાં સહુ
પાંખો આપ સમારે સહી, મુકે પાતશા હીરને કહી. ૧૩૪૫ પંખી એક ન ઊડે અમેં, લીઈ પાતાશા હાથે તમેં;
શાંતિચંદ બોલ્યો લેઉ અહ્મ, પાતશા કોટેગા એ તમ્મ. ૧૩૪૬ અકબરશા તબ ઉત્તર દેહ, ક્યા કાઠેગા હમકું એહ;
ઐસે હમ કાટે શું બોહોત, તુમ દિદારતે ધર્મી હોત. ૧૩૪૭ બાર હજાર હમહિ ચીતરે, ચઉદ હજાર હરિણભી ખરે; - ઉનમેંકા મરતા હૈ જેહ, ચીત્તેકું ખિલાઉ તેહ. ૧૩૪૮ જતા હરિણ ન મારું કોઈ, બોહોત સબાબ એ તુમકું હોઈ;
ઈમ કહી મુકે જીવ અનેક, હરિણ રોઝ સસા નહિ છેક. ૧૩૪૯ એક હરિણી હરિણાને કહે, ક્યું રે કંથ નચિંત થઈ રહે;
પાતશાએ તેડ્યો ભરતાર, હણ્યા પછી મુજ કુણ આધાર. ૧૩૫૦ હરિણો કહે ન હણે નરધીર, એહને મિલ્યો જગતગુરુ હીર;
મુકાવી મોકલે વન માંહિ, હવે બંધન પડવું ક્યાંહિ ? ૧૩૫૧
શિકારીઓ જંગલમાં ફરતા નથી. જંગલમાં ગાય સુખથી ચરે છે. માછીમાર માછલાંને પકડતો નથી એ હીરગુરુની કૃપાથી. ઘેટાંબકરાં, ભેંસ, બળદ, ઘોડા, ગાય અને પંખીઓ કહે છે મુનિરાય હીરવિજય ચિરંજીવ હો. સસલાં, સેલાં, શૂકર – સૌ હીરગુરુના ગુણ ગાય છે અને પંખીઓ ગગુરુના પાય પ્રણમે છે.
બાદશાહ જગગુરુને આજીજીપૂર્વક કહે છે, “તમારા કામનું કાંઈક માંગો.” હીર કહે છે “ઘણા કેદીઓ છે તેમને છોડો તો સુખ પામે.” અકબર કહે, “સારાયે મુલકમાં રાડ પડાવનાર એ મોટા ચોર છે. એ હજારોને બગાડશે. એટલે મારે ત્યાં સુધી એ અહીં જ ભલે રહ્યા. વાઘ, સિંહ, ચિત્તા, કૂતરા, બિલાડી, સાપ, ઊંદર અને પાપી મનુષ્ય આટલા જીવો તો જગતમાં સૂતેલા જ સારા. માટે હે હીરગર, તમે એવું કંઈ અન્ય માગો જેથી તમારા દર્શન-ધર્મમાં વૃદ્ધિ થાય.”
ત્યારે શાંતિચંદ્રે કહ્યું, “હે હીરગર, આમાં વિચાર શું કરો છો ? બધા ગચ્છવાળા આપનાં ચરણોમાં નમે એવું કંઈક માંગી લો.” ત્યારે હીરે મૂઠી વાળી કહ્યું કે “આવું કાંઈ માગતાનો મારે નિયમ છે. વળી, વીર શ્રેણિકના વખતમાં પણ એમ બન્યું નથી. તો તમે આવું બોલી મને ફજેત કરતા નહીં.” આ સાંભળી બાદશાહ પૂછે છે, “તમે બન્નેએ શી વાત કરી ?” ત્યારે હીરે જે સત્ય વાત હતી તે પ્રગટ કરી.
પા. ૧૩૪૩.૧ બિરુદ (વૃંદને સ્થાને) ૧૩૪૯.૧ જીવતા ટિ. ૧૩૪૮.૧ ચીતરે = ચિત્તા ૧૩૪૯.૧ જીતા = જીવતા