SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત બિરબલે ત્યારે કહ્યું કે જો હુકમ હોય તો હે હીર, હું કંઈક પૂછું. બાદશાહે સંમતિ આપી એટલે બિરબલે પૂછ્યું, “શંકર સગુણ છે કે નિર્ગુણ ?” હીરે કહ્યું, “તે સગુણ છે.” ત્યારે બિરબલે કહ્યું “શંકર નિર્ગુણ છે.” હીરગુરુએ વળતું પૂછ્યું, “શંકર જ્ઞાની કે અજ્ઞાની ?” બિરબલે કહ્યું, “જ્ઞાની.” પછી હીરે પૂછ્યું “જ્ઞાન ગુણ કે અવગુણ ?” ત્યારે કોઈ બોલી શક્યું નહીં. બિરબલ પણ આ વેળા બંધાઈ ગયો. ત્યારે બાદશાહે હીરગુરુની ખૂબ પ્રશંસા કરી. કહે, “આ મોટા દેવપુરુષ છે. એમની વાત કહી જાય એવી નથી. હીર એક જ સાચા છે, બીજા જૂઠા છે.” એમ અકબર ગાજીને કહે (દુહા) આહેડી વન નવિ ફરે, સુખે ચરે વન ગાય; માછી મીન ન પરાભવે, સો ગુરુ હીરપસાય. ૧૩પર અજા મહિષા મહિષ ધણ, વૃષભ તુરંગમ ગાય; પંખી કહે ચિરંજીવજો, હીરવિજય મુનિરાય. ૧૩૫૩ સસલા સેલા શૂકર, હીર તણા ગુણ ગાય; ઋષભ કહે બહુ પંખિયા, પ્રણમે જગગુરુપાય. ૧૩૫૪ . (ચોપાઈ) જગગુરુને શાહ કહે ગહગહી, તુમ્ભારે કામકા માંગો સહી; હીર કહે બંધીજન બહુ, છોડો તો સુખ પાર્વે સહુ. ૧૩૫૫ કહે અકબર એ મોટે ચોર, મુલકમેં બોહોત પડાયેં સોર; એક ખરાબ હજારકું કરે, હાં ભલે એ જબ લગ મરે. ૧૩૫૬ વાઘ સિંઘ ચીતર કૂકર, મંજારી ને પાપી નરા; ભુજંગ ભૂખ ઉંદર એકલા, એહવા જીવ જગિ સૂતા ભલા. ૧૩૫૭ દૂજા માંગો અવલ ફકીર, કછુઆન માંગો આપકા હીર; ઐસા કછુ માંગો અહિ તોય, દરસણ તુલ્બારા બધતા હોય. ૧૩૫૮ શાંતિચંદ તવ ભાખે અમ્યું, હીરજી તુહ્મ વિચારો કર્યું માંગો એહવું એણિ ઠાય, સાધ સકલ ગચ્છના લાગું પાય. ૧૩૫૯ હીરે મૂઠી વાળી સાર, એણી વાતે મુનિ ચોવિહાર; વીર શ્રેણિક વાર એમ નહિ, બોલી ફજેત મ કરસ્યો અહિ. ૧૩૬૦ સુણી બાત પાતશા મુખથી ભણે, ક્યા તુલ્મ બાત કરી દો જણે; હીરે બાત પ્રકાશી ખરી, ઘણી સુપરત સુલતાને કરી. ૧૩૬૧ પા. ૧૩૫૮.૧ પ્રબલ ફકીર ૧૩૫૯.૨ સાધ સકલ ૧૩૬૦.૧ રૂઠા તે વેલા ૧૩૬૧.૨ સુપારિત ટિ. ૧૩પર.૧ આહેડી = શિકારી ૧૩૬૦.૧ ચોવિહાર = નિયમ
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy