SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત ઇસા દિન કોઈભી આઈગા, કો કિસકું નવું ખાય; હીર કહિ જનમ પેગંબરિ, સહુનિ શાતા થાય. અકબર. ૧૩૦૫ રાક્ષસ મુગલ હૈ હમ તણે, કરતે બહુત ગુસ્સાય; સસતે સસતે છોડુંગા, ક્યું સબકે સુખ થાય. અકબર. ૧૩૦૬ અકબરશાહ હીરગુરને કહે છે, “તમને કહું તે સાંભળો. બધા ઉમરાવોએ ભેગા થઈ મને કહ્યું કે બાપનો સાચો બેટો તે છે જે પોતાના માર્ગને છોડતો નથી – ચાલુ રાખે છે. (એમણે દષ્ટાંત આપ્યું કે, એક દેશના બાદશાહે પોતાના નગરની પાસેના એક પહાડને તે આવતી હવાને રોકતો હોવાને કારણે નષ્ટ કરી દેવાનો હુકમ કર્યો. સૌએ એક એક મણ દારૂથી સો-સો મણના પથ્થરોને તોડી નાખ્યા અને પહાડની જગાએ સપાટ મેદાન કરી નાખ્યું. જ્યારે પોતાના માલિકનો હુકમ પૂરો થયો ત્યારે સૌ કરડી નજર કરી એ મેદાનને જોવા લાગ્યા. એકવાર એવું બન્યું કે દરિયામાં ભરતીનું ખારું પાણી ધસધસતું ગામમાં આવી ગયું. પાદશાહ પણ શું કરે ? હાથી, રથ, ઘોડા, ગાય અને સઘળા લોકો ડૂબવા લાગ્યા. માટે અમે કહીએ છીએ કે નવું કાંઈ કરો નહીં, જે કરતા આવ્યા છો તે જ કરો. જેમ પહાડ હઠાવી લેવાતાં એનો દંડ તરત ભોગવવો પડ્યો. ત્યારે, હીર, મેં પણ એમને સામી એક વાત કહી. એક બાદશાહ આંખે અંધ હતો. તેને એક છોકરો થયો તે પણ અંધ હતો. અને તેનો છોકરો દેખતો થયો. તો કહો કે એ છોકરાએ દેખતા રહેવું જોઈએ કે આંધળા થવું જોઈએ ? ઉમરાવો કહેવા લાગ્યા કે તે છોકરાએ આંધળા થવું જોઈએ નહીં. હે હીર, ત્યારે મેં કહ્યું કે જે કરતા હોઈએ તે નહીં, પણ જે સત્ય હોય તે કરવું જોઈએ. વળી (બીજું એક દષ્ટાંત મેં કહ્યું કે, મારી સાતમી પેઢીએ તૈમુર બાદશાહ થયો. તે પહેલાં પશુઓને ચરાવવાનું કામ કરતો હતો. એક વખત એક ફકીર એવી ટહેલ નાખતો આવ્યો કે જે મને રોટી આપે તેને હું દુનિયા આપું. તે વખતે તૈમુરે તેને રોટી આપી. ત્યારે ફકીરે તૈમુરના મસ્તક ઉપર છત્ર ધારણ કરીને કહ્યું કે હું તને બધો મુલક આપી દઉં છું. - પછી એક દિવસ કોઈ ઢોર ચરાવનારે એક દૂબળા ઘોડાને ચાબુક માર્યો. ત્યારે બધા ચરાવનારા ભેગા થઈ ગયા. તેમાં તૈમુર પણ હતો. તેવામાં કેટલાક લોકો ઊંટો પર માલ ભરીને ત્યાંથી નીકળ્યા. ચરાવનારાઓએ તલવાર કાઢી બધું પડાવી લીધું. પછી પાછળ મોટું લશ્કર લડવા માટે આવ્યું. તેને પણ ભગાડ્યું. છેલ્લે બાદશાહ લડવા આવ્યો તો તેને ત્યાં પૂરો કરી નાખ્યો. બધો મુલક તૈમુરે લઈ લીધો ને પોતે બાદશાહ બની ગયો. એની સાતમી પેઢીએ અમે બાદશાહ બન્યા. હવે તમે કહો કે તૈમુરની પૂર્વાવસ્થાની જેમ અમારે ચરવાદારી કરવી કે બાદશાહી કરવી ? ટિ. ૧૩૦૬.૧ સસતે સસતે = હળવે હળવે
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy