________________
૧૫૦
શ્રાવક કવિ ઋષભદાસકૃત
અકબર ગાજીને આમ કહે છે કે ચંદન, સુરતરુનું પુષ્પ, મેઘનું જળ, અગર, ચંદન, કસ્તૂરી, સારગ્રાહી શાસ્ત્ર - આ બધા જેમ હીરસૂરિ પરોપકારી છે. જ્યારે અકબરશાહ ફરીફરી કહે છે કે તમે કાંઈક માગો ત્યારે (અમારિપ્રવર્તનના) આઠ દિવસ માગ્યા. ત્યારે ખુશ થયેલો બાદશાહ કહે છે, “એ આઠ દિવસ તો આપ્યા. મારા વતી બીજા વળી ચાર દિવસ. આવું શાહનું ફરમાન કરાશે.” અબુલફજલ કહે, “એમ નહીં આ ફરમાન લખીને આપવામાં આવે જેથી પેઢી દરપેઢી એ ચાલ્યા કરે.” પછી એ ફરમાન લખીને અકબરે રાજસભામાં વંચાવ્યું. ખુશ થયેલા થાનસિંગને એ આપવામાં આવ્યું. તેણે તે લઈને માથે ચડાવ્યું. ત્યારે બાદશાહે તેને ફૂલો અને મોતીથી વધાવ્યું. થાનસિંગ તે લઈને પાછો આવ્યો. જિનશાસનનો જયજયકાર થયો. ભંભાભેરી વગાડતાં, પુરુષોએ ગીતો ગાયાં. સહુએ ફરમાનને વધાવ્યું. કોઈ કહે, “ઘણે સમયે આવા મોટા સાધુ બાદશાહને મળ્યા.” કોઈ કહે, “હીરગુરુએ અકબરશાહને સોનાનો ગઢ જ બતલાવ્યો.”
(ઢાળ ૫૭ – નવરંગ વઈરાગી – એ દેશી) અકબર ગાજી હું કહિ, પરઉપગારી હીર;
ચંદન પુષ્ય ક્યું સુરતરૂ, જલધરકા નીર બે. મુંબોલિ. અક. ૧૨૮૮ અગર ચંદન મૃગમદ જર્યું, જું કોઈ શાસ્ત્ર સુસાર;
કામ ન કહિ કછુ આપણા, કરતા પરઉપગાર બે. યું. ૧૨૮૯ ફરી ફરી કહે શાહ અકબર, કચ્છએક તુમ માંગેઇ;
આઠ દિવસ તવ માંગિયા, ભલા ભૂપ મનબેઇ. યું. ૧૨૯૦ આઠ દિવસ દિયે સહી, મેરી વતી તુમ ચાર;
હુકમ હુવા જબ શાહકા, હોઇ ફરમાન સુસાર બે. યું. ૧૨૯૧ અબુલફજલ કહિ યું નહિ, લખીઈ સાલ પોસાલ;
પેઢી બદ્ધ એઇઉ ચલે, અકબરશાહ મોહો ફાલ બે. યું.૧૨૯૨ લખી લેખ વંચાવતો રે, અકબર સભા મઝારિ;
ખુશાલ થાનસંગનિ આપીઉંરે, શિરિબાંધ્યું તેણે કારિબે. યું. ૧૨૯૩ ફૂલે વધાયા પાતશા રે, મોતી બોહોત બધાય;
થાનસંગ પાછો વળ્યો, જિનશાસન જય થાય બેડયું. ૧૨૯૪ ભંભાભેર વજાવતાં રે, કરિ પુરુષ બહુ ગાન;
મુગલ કહિ કયા કહો રે, એક કહિ જીઉ ફરમાન બેડયું. ૧૨૯૫ એક કહે હીર યતી બડા, મિલ્યા શાહ બહુ બેર;
એક કહિ અકબરશાહબકે રે, દિખલાએ સુનકે ઢેર બેડયું. ૧૨૯૬
પા. ૧૨૯૦.૧ માંગો તુહ્મ ૧૨૯૧.૨ હમે કહું આજ કાગદ સહીકા ૧૨૯૨.૧ પઇસાલ ૧૨૯૨.૨ પાંઉં (“એઈઉંને બદલે) ૧૨૯૩.૨ ખુશાલ' નથી.