________________
મહાન જૈનાચાર્ય જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરની
જીવનઝરમર
જન્મ : સંવત ૧૫૮૩ના માગશર સુદ ૯, પાલણપુરમાં. જન્મનામ : હીરજી માતાપિતા : નાથીબાઈ અને કુરા શાહ વૈરાગ્યપ્રેરણા : ૧૩ વર્ષની ઉંમરે બહેન વિમલાને ત્યાં પાટણ ગયા ત્યારે શ્રી
વિજયદાનસૂરિજીનો ધર્મોપદેશ દીક્ષા : સંવત ૧૫૯૬ના કારતક વદ ૨, પાટણ ખાતે. દિક્ષાનામ: હરિહર્ષમુનિ દીક્ષાગુરુ ઃ આ.શ્રી વિજયદાનસૂરિજી શાસ્ત્રાભ્યાસ : દક્ષિણ ભારતમાં દેવગિરિ ખાતે એક બ્રાહ્મણ પંડિત પાસે. પંડિતપદ : સંવત ૧૬૦૭માં નાડોલાઈ નગરે વાચકપદ : સંવત ૧૬૦૮ના મહાસુદ ૫, નારદપુરમાં. આચાર્યપદ : સંવત ૧૬૧૦ના મહાવદ પ દિને, સિરોહી નગરે. આચાર્યનામ : શ્રી હીરવિજયસૂરિ * ગુરુ વિજયદાનસૂરિના પટ્ટધર બન્યા. * ગુરુના સ્વર્ગવાસ પછી તપાગચ્છના નાયક થયા. * એમના શિષ્યશિરોમણિ આ. વિજયસેનસૂરિને સંવત ૧૬૨૮માં પોતાની પાટે
સ્થાપ્યા. * લોંકાગચ્છના મેઘજી મુનિ મૂર્તિપૂજામાં શ્રદ્ધા બેસતાં શ્રી હીરવિજયસૂરિ પાસે
પુનઃદીક્ષિત. * અસંખ્ય જિનબિંબોની પ્રતિષ્ઠા અને સેંકડો વણિકોની દીક્ષા શ્રી હીરવિજયસૂરિને
હાથે થઈ. * ગંધાર બંદરે હતા ત્યારે મોગલ સમ્રાટ અકબરશાહ બાદશાહનું ફત્તેહપુર સિક્રી
આવવા ગુજરાતના સૂબા સાહિબખાન દ્વારા નિમંત્રણ મળ્યું. * જૈન શાસનનો ઉદય અને અહિંસા-પ્રસારના પ્રયોજનથી આમંત્રણનો સ્વીકાર. * વિહાર કરી, અમદાવાદ આવી સૂબા સાહિબખાન સાથે મુલાકાત. * સંવત ૧૬૩૯માં ત્તેહપુર સિક્રી પહોંચ્યા. * મુસ્લિમ ગ્રંથોના વિશેષજ્ઞ શેખ અબુલફઝલ દ્વારા ભવ્ય સ્વાગત. * સમ્રાટ અને સૂરીશ્વરનું મિલન. * અકબરશાહ સાથેની ધર્મગોષ્ઠીમાં ઈશ્વર-દેવગુરુ-ધર્મનું સ્વરૂપ, પાંચ મહાવ્રતો
સમજાવ્યાં. * જૈન તીર્થોની માહિતી આપી. અકબરશાહને પ્રભાવિત કર્યા. * બાદશાહે “જગદ્ગુરુ'નું બિરુદ આપ્યું. * આગ્રા ખાતે ચાતુર્માસ કરી પુનઃ સિક્કીમાં.