________________
१४
* પ્રભાવિત થયેલા અકબરશાહે બંદીવાનોને કેદમાંથી છોડાવ્યા, પક્ષીઓને પિંજરમાંથી મુક્ત કરાવ્યાં. પર્યુષણ પર્વના દિવસોમાં ચાર દિવસ ઉમેરી બાર દિવસનું સમસ્ત રાજ્યમાં અમારિ-પ્રવર્તન કરાવ્યું. હિંસા-પ્રતિબંધનાં છ ફરમાનો સૂરિજીને આપ્યાં. ડામર તળાવ સૂરિજીને અર્પણ કરી મત્સ્ય-શિકાર બંધ કરાવ્યો.
* સંવત ૧૬૩૯થી ૧૬૪૨ના ગાળાનાં ત્રણ વર્ષ આસપાસના પ્રદેશોમાં વિતાવ્યાં. * શાંતિચંદ્ર ઉપાધ્યાયને અકબરની વિનંતીથી રાખી સૂરિજીનો વિહાર.
* સિરોહી, વરકાણા, આબુ વગેરે સ્થળોએ થઈને અણહિલપુર પાટણ આગમન. * શાંતિચંદ્ર ઉપાધ્યાયે બાદશાહની પ્રશસ્તિ-રૂપ ‘કૃપારસકોશ’ની રચના કરી.
* શાંતિચંદ્રના પ્રસ્થાન સમયે બાદશાહે સૂરિજીને ભેટ ધરવારૂપ જજિયાવેરો રદ કરતું ફરમાન શાંતિચંદ્રને આપ્યું.
* ઉપરાંત, અગાઉના બાર દિવસના સ્થાને હિન્દુ-મુસ્લિમ-પારસી તહેવારો, તમામ રવિવારો સહિત વર્ષમાં કુલ છ માસ ને છ દિવસનું અમારિ-પ્રવર્તન કર્યું. * શત્રુંજયતીર્થમાં લેવાતો યાત્રાવેરો બંધ કરાવી એ પર્વત હીરવિજયસૂરિને સમર્પિત કર્યો, અને તેને લગતું ફરમાન મોકલ્યું.
* સંવત ૧૬૫૦માં શત્રુંજયતીર્થની યાત્રા.
* ઉના ખાતે સંવત ૧૬૫૨માં સૂરિજીનો ચાતુર્માસ.
* ૧૬૫૨ના ભાદરવા સુદ ૧૧ને ગુરુવારે નિર્વાણ,
* શિષ્યપરિવાર : આચાર્યશ્રી વિજયસેનસૂરિ, ઉપા. શ્રી વિમલહર્ષ, ઉપા.શ્રી સોમવિજય, ઉપા. શ્રી શાંતિચંદ્ર વગેરે સાત ઉપાધ્યાયો, ૧૬૦ પંન્યાસો, બે હજાર સાધુભગવંતો, ત્રણ હજાર સાધ્વીજી મહારાજ.
* તપસ્યા ઃ ૨૦૦૦ આયંબિલ, ૨૦૦૦ નીવી, ૩૬૦૦ ઉપવાસ, ૨૨૫ ૭૪, ૮૧ અઠ્ઠમ, વીસ સ્થાનકની આરાધના, ત્રણ માસની વિવિધ તપસ્યા સાથે સૂરિમંત્રનું ધ્યાન, બાવીસ માસનાં આયંબિલ-નીવી સાથે જ્ઞાનની આરાધના, તેર માસનું (ઉપવાસ, છઠ, અઠ્ઠમ, આયંબિલ, નીવી સાથે) ગુરુભક્તિ-તપ.
* ભગવાન શ્રી મહાવીરસ્વામીની ૫૮મી પાટે થયા.