________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૮૩
કોઈ કહે છે, “હીરગુરુને ત્યાં મોકલવા નહીં, પણ છૂપી રીતે રાખવા.” કોઈ કહે છે, “આમાં બાદશાહના મનમાં કંઈક કપટ હોઈ શકે. કોઈ દંડ માટે પણ બાદશાહ બોલાવતો હોય.” કોઈ કહે, “એ તો મહાપ્લેચ્છ અને દૂર છે. એના નામથીયે ઝાડો થઈ જાય તેમ છે. પણ એને શો જવાબ આપવો એનો પહેલાં વિચાર કરી લો.”
દ્ધિમાં ઇન્દ્ર જેવો બાબર-હુમાયુનો પુત્ર અકબર મોટો બાદશાહ છે. તો હવે આપણે શું કરવું તેનો વિચાર કરી લઈએ. તેની પાસે સંપત્તિ ઘણી છે. ટૂંકમાં તેનું વર્ણન આ પ્રમાણે છે.
૧૬ હજાર હાથી, ૯ લાખ ઘોડા, ૨૦ હજાર રથ, ૧૮ લાખ પાયદળ, ૧૪ હજાર હરણ, ૧૨ હજાર ચિત્તા, ૫OO વાઘ, ૧૭ હજાર સકરા, ૨૨ હજાર બાજ, ૧૧ હજાર ગાય. વળી ૭ હજાર ગાન કરનારા.
કર્ણના જેવું બીજા કોઈનું દાન નથી, ચક્રીના જેવું બીજા કોઈનું નિધાન નથી, અકબર જેવો બીજો કોઈ સુલતાન નથી. તાનસેનના જેવો બીજો કોઈ ગાયક નથી.
(ઢાળ ૩૭ – લંકામાં આવ્યા શ્રીરામ રે – એ દેશી) એહવો લેખ લખ્યો આવ્યો જ્યારે રે, સાહેબખાન સાહસો ગયો ત્યારે રે;
કરી તસલીમ ધ્યે ફરમાન રે, વાંચી બોલ્યો સાહેબખાન રે. ૬૯૦ તેડ્યા શ્રાવક દેઈ બહુ માન રે, દેખાડ્યું પાદશાહી ફરમાન રે;
બોલાવે અકબર સુલતાન રે, યહાં હીરજતિ કહે ખાન રે. ૬૯૧ મત કોઈ ડરો મનમાંહિ રે, ખુશી બાદશા હે બોહોત જ ત્યાંહિ રે;
ભેજો હીરકું તો હોઈ કામ રે, લીજે હાથી ઘોડે બહુ દામ રે. ૬૯૨ લખ્યા પાદશાઈ અસ્યા લેખ રે, મત જોર કરો કોઈ રેખ રે;
ખુશી હુઈ તો આવણા કીજે રે, નહિતર અહિં રહિણે દીજે રે. ૬૯૩ બોલ્યા વાણીઆ સઘલા ત્યાંહિ રે, તેડી ગુરનિ લ્યાવીએ આંહી રે;
ખુશી ખાન થયો તેણી વાર રે, વાત વણિગ કરત વિચાર રે. ૬૯૪ આપણ હીરગુરુ કને જઇએ રે, વિચારી વાત સહુ કહીએ રે;
થયા શ્રાવક તવ હાંસીઆર રે, વહિલ્યો જોતરી તેણી વાર રે; ૬૯૫ વછરાજ પરિખ મૂળો શેઠ રે, ગાંધારમાં આવ્યા નેટ રે;
નાનવિ કુંઅરજી જવેરી રે, આવ્યા ભૂષણ વાગા પહેરી રે. ૬૯૬ સંઘવી ઉદયકરણ નર જેહ ૨, ખંભાયતથી ચાલ્યા તેહ રે;
પારિખ વજુઓ શ્રી શ્રીમાળ રે, આવ્યા રાજા શ્રીમાળ ઓઉસવાળ રે.૬૯૭ સહુ ગંધાર માંહિ આવે રે, હરનિ મોતિડે જ વધાવે રે;
પૂજીપ્રણમી સુણત વખાણ રે, પછે બોલ્યા શ્રાવક જાણ રે. ૬૯૮ પા. ૬૯૩.૨ નહિં કરિ ૬૯૬.૧ નેઇ રે ૬૯૮.૧ હુનિ જ ટિ. ૬૯૫.૨ વહિલ્યો = વહેલ, ગાડું