________________
" શ્રાવક કવિ ઋષભદાસકૃત
બોલી ચાંપાં સુણો પાદશાહિ, દેવ ઋષભ ગુરુ હીર મહિમાય;
તેહના નામથી ધીરજ ધરું, છમાસી તપ પૂરો કરું. ૬૮૧ ખુસી થયો તબ અકબરશાહ, તાહરો ગુરુ તે વસે કીહિ થાય;
દેખું મેં ઉનકા દીદાર, પૂછુંગા કછુ ધર્મવિચાર. ૬૮૨ કહે ચાંપાં ગુજ્જર ખંડ જ્યાંહિ, હરમુનિ ગુરુ માહરો ત્યાંહિ;
વિકટ પંથ છે તેહનો અતી, હીર સમો નહિ બીજો યતી. ૬૮૩ સુણી પાદશાહ હરખ્યો બહુ, વાજિંત્ર આપણાં આપ્યાં સહુ;
સોનાનો ચૂડો કરી દીધ, જગ આખે તે હુઈ પ્રસિદ્ધ. ૬૮૪ કહે પાદશાહ કછુ માંગીએ, ચાંપાં આપ્યું કાંઈ નવિ લીએ;
કહે કછુ ઔર મહિર કીજીએ, અભયદાન આતમ દીજીએ. ૬૮૫ ખુસી જુઓ દિલીપતિ તાસ, ભલા ધર્મગુરુ ઈનકા ખાસ;
તેડ્યા તબ માનૂ કલ્યાણ, થાનસંગ તેડ્યો નર જાણ. ૬૮૬ શ્રાવક આગરાઈ નર જેહ, પંન્યાસ ધર્મસી તેડ્યા તેહ; | દિલીપતિ બોલ્યો નર ત્યાંહિ, હરિગુરુનિ તેડો યાંહિ. ૬૮૭ તુમ કાગલ લખીએ દેઇ માન, મૈ ભી લિખ ભેજું ફરમાન; .
સોનેરી અવ્વર તિહાં ભલે, સાહેબખાન ઉપરિ મોકલે. ૬૮૮ હીર યતીનિ દેઈ બહુમાન, હાથી ઘોડે દેઈ નિસાન;
સુખાસણ પાલખી દીજીએ, વિનતિ કરી હાં ભેજીએ. ૬૮૯
ખેપિયો જ્યારે એ લેખ લઈને અમદાવાદ ગયો ત્યારે સાહિબખાન સામે ગયો. અને બહુમાન કરી ફરમાન લીધું. અમદાવાદના શ્રાવકોને બહુમાનપૂર્વક સાહિબખાને તેડાવી બાદશાહનું ફરમાન બતાવ્યું અને પૂછ્યું કે હીરસૂરિ અત્યારે ક્યાં છે ? તમારે કોઈએ ડરવાની જરૂર નથી. આ તો આનંદની વાત છે કે હાથી, ઘોડા, પાલખી અને પૈસાટકા આપીને હીરગુરુને બાદશાહ પાસે મોકલવાનું લેખમાં લખ્યું છે. જરાય બળજબરી કરવાની નથી. એમનું મન થાય તો જ આવવાનું કહ્યું છે.' આ સાંભળી શ્રાવકો ખુશ થયા. અને વિચાર કર્યો કે આપણે હીરગુરુ સાથે વાત-વિચાર કરીને નક્કી કરીએ. પછી તેઓ તૈયાર થયા ને જવા માટે હેલો જોતરી.
અમદાવાદથી વચ્છરાજ પારેખ, મૂળો શેઠ, નાના વીપુ શેઠ અને કુંવરજી ઝવેરી વગેરે શ્રાવકો તથા ખંભાતથી સંઘવી ઉદયકરણ, પારેખ વજીઆ, શ્રી શ્રીમાલ અને રાજા શ્રીમલ્લ ઓશવાલ વગેરે શ્રાવકો વસ્ત્રાભૂષણથી સજ્જ થઈ ગંધાર આવ્યા. હીરગુરુને મોતીડે વધાવ્યા. વંદન કરી વ્યાખ્યાન સાંભળી પછી શ્રાવકોએ કહ્યું, બાદશાહ અકબરનું ફરમાન આવ્યું છે. તે બહુમાનપૂર્વક તેડાવે છે. તો આપણે શું કરવું ?” ત્યાં લોકોને જુદાજુદા વિચાર સૂઝે છે. પા. ૬૮૯.૧ નિધન ટિ. ૬૮૨.૨ દીદાર દેખું = દર્શન કરું