________________
૨૮
વિજ્યદેવસૂરિ
પૃ૪ ૧૦૩–૧૦૭. મૂળ ગામ ઈડર, અને ત્યાં શાહ થિરાહુલ ચંદસિંહ અને તેની ભાર્યા નામે રૂપાં વસતાં હતાં. તેના પુત્ર શ્રી વિજયસેનસૂરિ પાસે દીક્ષા લીધી હતી. પછી પોતે સૂરિપદ લીધું. શ્રી વિજ્યદેવસૂરિએ જહાંગીર પાદશાહને પ્રતિબધી તેની પાસેથી “મહાતપા” એ નામનું બિરૂદ મેળવ્યું હતું.
શ્રી વિજ્યદેવસૂરિએ મરૂધર (મારવાડ), ગુર્જર (ગુજરાત), સેરઠ ( કાઠિયાવાડ), માલવા અને દક્ષિણ દેશમાં અપ્રતિબધપણે વિહાર કર્યો. મહમદશાહને ગુરૂએ ઉત્તમ ઉપદેશ આપી પિતા તરફ ખેંચ્યો અને તે નરપતિરાજા કે સૂબા(? એ શૈવધ કે ગૌમાંસાહાર છોડી દીધે, આંથી ગુરૂની કીર્તિ સર્વ સ્થળે ફેલાઈ ૨૭ તેમના શિષ્યો હતા.
આમના શિષ્ય વિજયસિંહસૂરિ હતા તેમણે મરૂધર (મારવાડ)થી નીકળી જ્યારે વિજયદેવસૂરિ ગુજરાતમાં આવ્યા ત્યારે ભેટીને વંદના કરી. આ વખતે વિજયસિંહસૂરિએ સ્વર્ગવાસ કર્યો. આથી શ્રી વિજયદેવસૂરિએ પિતે ગધાર જઈ શ્રી વિજયભને પિતાના પટ્ટધર સંવત ૧૭૧૦ ના વૈશાખ સુદ ૧૦ ને દિને બનાવ્યા.
વિજયદેવ સૂરિ (તપાગચ્છની ૬૦ મી પાટે) વિજયસેનસૂરિના પટ્ટધર. જન્મ સંવત ૧૬૪૩, પંન્યાસપદ ૧૬૫૫. સૂરિપદ ૧૬૫૬; જહાંગીર બાદશાહે મહાતપાનું બિરૂદ આપ્યું. સં. ૧૬૫ માં આરાસણમાં મહાવીર બિંબની પ્રતિષ્ઠા કરી (જેન બિગ્લિઓગ્રાફી મૅરિને. શિલાલેખ), સ્વર્ગ ઉખા નગરમાં સં. ૧૭૧૩ ના આષાઢ શુદિ ૧૧ ને દિને. તેઓ સ્વર્ગ ગયા પહેલાં પોતાના પછી પટ્ટધર શ્રી વિજયસિંહને નીમી ગયા હતા, પરંતુ તે પોતાની પહેલાં સ્વર્ગવાસ પામવાથી વિજયપ્રભને પટ્ટઘર નીમ્યા.
–પટ્ટાવલિ. ૧ વિજયસિંહસૂરિ (૬૧ મા તપગચ્છની પાટે, શ્રી વિજયદેવસૂરિના પટ્ટધર. જન્મ સંવત ૧૬૪૪ મેડતામાં, દીક્ષા સં. ૧૬૫૪ માં, વાચક પદ સં. ૧૬૭૩ માં, સૂરિપદ સં. ૧૬૮૨ માં, અને સ્વર્ગ ગમન સં. ૧૭૦૯ ના આષાઢ શુદિ બીજ. (નતનપુરામાં–અમદાવાદ?)
૨. ગંધાર-ખંભાતના અખાતના કિનારા પરના ચાર બંદર નામે ગેગારી (ઘોઘા), બબિસિ (ભરૂચ), ગદાર (બંધાર) અને ખંભાત છે; આમાંનું એક ગંધાર છે.
૩ વિજયપ્રભસૂરિ (૬૨ મા, ખરી રીતે ૬૧ મા તપગચ્છની પાટે) જન્મ ૧૬૭૭ માં કચ્છના મનહરપુરમાં, પિતાનું નામ શા સવગણ, માતાનું નામ ભાણી)