SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ (અ) ગુજરાતનો ઈતિહાસ નક્કી કરવામાં, દાખલા તરીકે કુમારપાળ, વસ્તુપાળ, જગડુ આદિના, (બ) ગુજરાતી ભાષાના અવતાર-વિકાસ-વૃદ્ધિના શોધનમાં, (ક) પ્રાચીન ગુજરાતીના નમુના માટે, (ડ) હાલની સંસ્કારી ગુજરાતી ભાષામાં અપરિચિત નવા પણ ઉપ યેગી શબ્દનું ભંડોળ ( Enriching) વધારવામાં, અને (ફ) ગુજરાતી ગધ, પધ લખવાની શરૂઆત જૈન લેખકોએ કે બીજાએ કરી એ નક્કી કરવામાં ઉપયેગી થાય એમ છે. (૨) શ્રી હીરવિજયસૂરિ, વિજયતિલકસૂરિ આદિના રાસેથી જૈન આચા ર્યોનાં ચરિત્ર-ઈતિહાસ ઉપર પ્રકાશ પડી શકે તેમ છે. (૩) રાસના મહટા ભાગને છેડે પ્રશસ્તિ આપેલી છે; તેમાં પ્રાયઃ ત્રણચાર પેઢીનાં નામ છે, જેથી જૈન સાધુઓના વંશ-વૃક્ષ નક્કી કરી શકાય એમ છે. જુદા જુદા ગચ્છની પટ્ટાવલિઓમાં તે શ્રી સુધર્માસ્વામીથી (વિ. સં. પૂર્વે ૪૭૦ વર્ષથી) પટ્ટાવલિ લખાઈ ત્યાં સુધી તે તે ગ. ચ્છના પટ્ટાધીશ આચાર્યોનાંજ નામ-તિથિ છે, ત્યારે આ રાસોની પ્રશસ્તિ ઉપરથી બીજા સાધુઓનાં નામ-તિથિ-વંશ નક્કી થઈ શકે એમ છે, જે આ દિશામાં કામ કરનાર ઇતિહાસકારને ઉપયોગી થવા યોગ્ય છે. (૪) બધા રાણેને અંતિમ હેતુ (આંતહ૮) ધર્મ ઉપદેશને છે; દાન શીલ-તપ-ભાવ મુખ્ય વ્યવહાર ધર્મ ઉપદેશવાને છે. અમુક નાયકનાં ચરિત્ર ગુંથનરૂપે દાખલા દષ્ટાંતદ્વારા લેખકોએ, એ ઉપદેશને બહુ રસમય અને આકર્ષક કર્યો છે. (૫)એ રાસમાંથી સાધક ટુચકા અને રસિક સુબોધયુક્ત કાવ્યકણિ કાઓ જુદી તારવી શકાય એમ છે; અને એવાં જુદાં તારવી કાઢેલાં 'કાવ્યકણેને ગુજરાતી ભાષાના “રત્નભાંડાગાર” નામ પુસ્તકરૂપે યોજી શકાય એમ છે. (૬) કેટલાક રાસમાંથી લેખકોનાં બુદ્ધિવૈભવ, કાવ્યચમત્કૃતિ, અને અલં કારયુક્ત વાણી જોઈ સહદય વાંચકને આનંદ મળે એમ છે. () એ રાસે ઉપરથી એ સેના વસ્તુપાત્રને અનુસરી, એ રાસને શુદ્ધ ધર્મ ઉપદેશરૂ૫ અંતિમ હેતુ લક્ષમાં રાખી, વર્તમાન શૈલીએ શુદ્ધ
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy