________________
૪૮
આ ચરિત્રા જે પદ્યમય રાસમાં છે તે ખરાખર કાલક્રમાનુસાર ગોઠવી શકાયા નથી, કારણ કે એક છપાઈ જાય ત્યારે ખીજું વળી ક્યાંકથી સુભાગ્યે મળી આવે અને દાખલ કરવામાં આવે; પરંતુ ગદ્યભાગમાં કાલક્રમ જાળવી શકાય તેટલા અને તેવા જાળળ્યેા છે, તે સુનવાચક જોઇ શકશે. અને આ પ્રથમ આવૃત્તિ વાચકની કૃપાને પામે તા શ્રીજી આવૃત્તિમાં તુરતજ તે પ્રમાણે અનુસરવામાં આવશે.
*
કાઇ એમ પૂછશે કે આમાં જણાવેલી વિગતે નિવેદન-પ્રસ્તાવ નામાંજ કેમ ન ગોઠવી ? તેા તેના જવાબમાં એ કહેવાનું કે આમાંની ઘણી ખીના મુળ રાસમાં—સ્પષ્ટ રીતે જણાઈ નથી તેવી છે, તેમ જેમ જેમ ભાગ છપાતા ગયા તેમ તેમ નવી નવી વિગતે પ્રયાસ કરતાં મળતી આવી, અને તેથી તેને સમાસ કરવાને ‘ સમાલેચના ' એ મથાળું રાખવામાં આવ્યું છે. આ હકીકતા મેળવવા માટે તે પુરી પાડનાર શ્રીમદ્ મુનીશ્રી બુદ્ધિસાગરજી મહારાજશ્રી તેમજ રા. રા. માહનલાલ મગનલાલ ઝવેરી અને રા. રા. મેાહનલાલ દલીચ'દ દેશાઈ ખી. એ. એલ એલ્ ખી. વગેરેએ બહુ સહાય આપી છે તેથી તેમના ઉપકાર માનીએ છીએ.
પ્રાંતે એટલું કહી વિરમીએ છીએ કે, જૈન ઇતિહાસરૂપી મહાન કોટમાં આ નાના નાના પથ્થરના ટુકડા મૂકવા જેવા આ પ્રયાસ લેખાશે, તથાપિ તેની સુજ્ઞ વાચકે। તરફથી કદર થશે તેા અમારા આ નિઃસ્વાર્થપણે કરેલા પ્રયત્ન સફલ થશે, અને વધુ આવા પ્રયત્નો કરવા અમે અવશ્ય પ્રેરાશ્યું. જે જે વિદ્યાર્ અને ગુણી સાધુ અથવા શ્રાવકના ઐતિહાસિક રાસ, ચરિત્ર, સ’સ્કૃત ગ્રંથોના ભાષાંતરા કરી કરાવી, લખી લખાવી માલવા કૃપા કરશે તે અમાને સંપૂર્ણ આશા છે કે, તે પ્રગટ કરવાની સંપૂર્ણ કેશેશ કરવા સાથે પ્રભાવક પુરૂષોનાં ચરિત્રા હારબંધ પ્રજા સેવામાં મૂકી શકાશે, અને જેમ થવાથી જૈનેતર સમુદાયમાં આપણું દૈવત્ ( મહત્વ ) પ્રસારી શકીશું.
પ્રસિદ્ધ કર્તા,
श्री अध्यात्मज्ञान प्रसारक मंडळ.
વીરસંવત્ ૨૪૩૮
ભાદરવા વદ ૨.
શનીવાર મુખઈ.