SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વખતચંદ નગરશેઠના ૭ પુત્ર પૈકી પુત્ર હેમાભાઈ નગરશેઠ થયા, અને બીજા પુત્ર મેતિચંદ થયા. મેતિચંદના પુત્ર ફતેહભાઈ (કે જેનું લગ્ન સં. ૧૮૬૧ ના ફાગણ સુદ ૨ ને દિને થયું હતું.), ફત્તેહભાઈના ભગુભાઈ, મહા સુદ ૮ ને રોજ એટલે ૧૨ મી ફેબ્રુઆરીએ બપોરના વખતથી અંગ્રેજ લોકેએ તોપને માર મારવા માંડયો, ને મહા સુદ ૧૦ની રાત પડતાં ઘણાંક છીંડાં પાડયાં. સરસુબાએ ઘણે માર માર્યો ને ટકર સારી રીતે લીધી, પણ મહા સુદ ૧૧ના પરેડમાં કર્નલ હાર્ટલી મરણીઓ થઈ ગ્રેનેડીઅર (એટલે ઉંચાં) સીપાઈની પલટણ લઈને શહેરમાં પેઠેને અમદાવાદ લીધું. તે વેળાએ બાપજી પંડિત ખાનપુર દરવાજે થઈને નાશી ગયો. (આ લડાઈમાં અંગ્રેજના ૧૨૦ માણસ મરાયાં, તેમાં ૧૪ - પીવાળા મુઆ; અને સરસુબાનાં ૧૦૦૦ હજાર ઝાઝાં માણસ રણમાં પડયાં) જનરલ ગાડર્વે અમદાવાદમાં પેઠા પછી ત્રણ દહાડા સુધી શહેર લુટવાને હુકમ કર્યો ત્યારે નગરશેઠ નથુશા ખુશાલચંદ, કાજી શેખ મહમદ સાલે, ને પાદશાહી દીવાન મી મીરઝા અમુ એ ત્રણે જણ ગાડર્ડ પાસે આવ્યા ને વિનતિ કરી કે શહેર લુટવાને હુકમ કર્યો છે પણ તેવું કરવું નહિ.” ત્યારે જનરલ કાંઈ ગુસ્સે થયો હતો તેથી એવું કહ્યું કે “જે તમારા મનમાં એમ હતું તો તમારે પહેલાંથી પાંસરા ચાલવું હતું કે અમને શરણે થવું હતું.” ત્યારે નથુશાએ જવાબ દીધો કે “જે અમલદારે આજદિન સુધી અમારું રક્ષણ કર્યું તેના અમે નિમકહરામ કેમ થઈએ ? ને હવે તમે એ સુબાને જીત્યા ને તમારે અમલ થયો ત્યારે અમે તથા સર્વ રૈયત તમારે શરણે આવ્યા.” આવો મધુર અને વ્યાજબી જવાબ સાંભળીને જનરલ ઠંડે પડ ને નીચે પ્રમાણે જાહેરનામું કર્યું કે– . “નગરશેઠ નથુરા (વખતચંદશેઠના ભાઈ) વિગેરે અમદાવાદની રૈયતને માલમ થાય જે હાલ તમારે તમારા ઘરમાં રહેવું ને કાંઈ તફાન કરવું નહિ. તમારા હૈયામાં કશીએ વાતની ફીકર રાખવી નહિ; પણ તમે જે ધંધો કરતા હો તે ધંધેસર લાગવું કે તેથી તમને કોઈ કાંઈ એ બાબતમાં હેરાન કરશે નહિ, માટે આ હુકમ પ્રમાણે ચાલવું-તારીખ ૫ સફર હીજરી ૧૧૯૪”(આને મળતી તારીખ, સંવત ૧૮૩૬ના મહા સુદ ૧૩ ને સને ૧૭૮૦ના ફેબ્રુઆરી મહિનાની તારીખ ૧૭મી.) એ પ્રમાણે અમદાવાદ લઈને બાર દહાડા રહીને આગલા કોલકરાર પ્રમાણે ફતેસંગ ગાયકવાડને સંપ્યું. તેઓની તરફથી તેમના સુબા અમદાવાદમાં સદાશિવ ગણેશ હતા તેઓએ કબજે લીધે, પણ એ જનરલ ગાડર્ડ પોતાની કાંઈક ફેજ ભદ્રમાં મૂકતો ગયે. આટલું કરવાની મતલબ એ હતી કે અમદાવાદ શહેરમાં તથા તેના જીલ્લામાં પેશ્વાને તથા ગાયક્વાડને ભાગ હતો પણ પેશ્વા ગાયકવાડને હરક્ત કરતા હતા તેથી અંગ્રેજ લોકોએ અમદાવાદ લઈ ગાયકવાડને સેપ્યું કે હવે પેશ્વાની તરફથી અહીં કેઈ નથી, માટે હવે આ દેશની ઉપજ લેતાં તથા કામકાજ ચલાવતાં કેઈતમને હરક્ત કરનાર નથી, પણ પેશ્વાના હિસ્સાના રૂપે તેમને પહોંચાડવા,” પૃ. ૮૪–૮૮
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy