________________
પાના નં.૪૬
એક ગુરૂવર્યશ્રીએ વ્યાખ્યાન પાઠ પરથી “ આચાર્ય એટલે મહારાજા, તમો અમારી રૈયત છો....” વિગેરેનું પ્રરૂપણ કર્યું.
સુપનના ચડાવા બોલાતા હતા ત્યારે એક ગુરૂવર્યશ્રી ચડાવા જાતે બોલવા લાગ્યા. શ્રાવકો પાસે જઈ ચડાવા બોલવા લગભગ દબાણ કર્યું. આ સંઘમાં હું નરક જેવી વેદના અનુભવું છું. એક સંઘમાં વ્યાખ્યાન ગુરૂવર્યશ્રીની પ્રરૂપણા. બીજી અનેક ઘટનાઓ બની રહી છે, લખતાં પણ ક્ષોભ થાય તેવી, અને એ સૌ જાણે છે, છતાં કોઈ કશું જ કરી શકે તેવી હાલતમાં નથી. શાસનની ગૌરવભરી આવતીકાલ માટે આ બાબતે કશું કરી શકાય ?
મૌનની તાકાતને ના નજર અંદાજ કર,
ભીતરી તોફાનને ના નજર અંદાજ કર, કદાચ અવિવેકનો વિસ્ફોટ આવી રહ્યો છે.