________________
પાના નં.૨૯
(૨)
આ પ્રશ્નનો બીજો કાયમી ઉકેલ પણ છે. સૂરત, અમદાવાદ, વડોદરા, પાટણ વિગરે શહેરો કે જયાં ઉચ્ચ ઉર્જા ધરાવતાં અનેક આરાધના ભવનો અત્યારે તદ્ન ખાલી- ઉપયોગ વિનાના છે.જયાં શેષ કાળ કે ચાર્તુમાસ દરમ્યાન કોઈ સાથે | સાધ્વી ભગવંતોનો યોગ નથી. અમદાવાદની પોળોના ઉપાશ્રય, પાટણની શેરીઓ, વડોદરાની પોળો, સુરતમાં ( નવાપુરા, હરીપુરા, મોહનલાલજી ) પાલનપુર, રાધનપુર, ખંભાતમાં પણ આ સ્થિતી છે.
(૩)
આ સંમેલન શ્રી સંઘ ને આજ્ઞા આપે કે હવે પછી નિર્માત્ર પામતાં તમામ શ્રાવક | શ્રાવિકા આરાધના ભવનોમાં ૩૦૦ ચો.પુટ જગ્યા વૃધ્ધ અને ગ્લાન પૂજય સાધુ | સાધ્વીજી ભગવંતો માટે અનામત રાખવાની રહેશે.
મોટા ભાગના વર્તમાન આરાધના ભવનો પણ આ વ્યવસ્થા કરી શકે તેમ છે.
અહીં પ્રશ્નો છે, સમુદાયના કે અન્ય સમુદાયના વડીલ સાધુ / સાધ્વીજી જે આરાધના ભવનમાં સ્થાયીવાસ હોય ત્યાં ચોમાસામાં કે શેષકાળમાં આવતાં પૂજય સાધુ / સાધ્વીજી ભગવંતોને કેટલાક પ્રશ્નો હોય છે. (મને આ અંગે ખુબ કડવો અનુભવ છે. ) પણ આ પ્રશ્નનો નિકાલ કેટલાક નિયમો બનાવી થઈ શકે.
આ બધાં આયોજનો વિચારતી વખતે જે તે સ્થળની દાકતરી સગવડ, તે વિસ્તારનું હવામાન, નાનાં પૂજય સાધુ / સાધ્વીજીને અભ્યાસની સગવડો વિચારવી પડશે.