SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ થાય ભોગથી દૂર' કર્મ ક્ષણિક ભોગભાવ ઉત્પન્ન કરી શકે છે અને પોતાનું કાર્ય કરીને તેને છૂટ પડવું પડે છે. આત્મસત્તા અખંડ બની રહે છે. બાલટીમાં ભરેલું ગરમ કે ઠંડું પાણી બાલટી પર ક્ષણિક પ્રભાવ નાંખી શકે છે પણ પાણી દૂર થતાં બાલટી અખંડ રહે છે, તેમ ચોથા પદમાં કવિશ્રીએ સહજ ભાવે અદ્ભુત વાત કહી છે. આ આખી ગાથા ઘણી સારભૂત છે. ચૈતન્ય પરિણમન, કર્મ પરિણમન, બંનેના સ્વતંત્ર ભોગભાવ અને આત્માની સત્તા અખંડ બની રહે, તે ગાથાનો મુખ્ય ભાવાર્થ છે. આપણે ગાથા ઉપર ઘણો પ્રકાશ નાંખ્યો છે, છતાં પણ ગાથા એટલી બધી ગંભીર છે કે ઘણો વિચાર માંગી લે છે. ગુજરાતી ભાષાના સરળ પદો આત્મજ્ઞાનના હીરા-માણેકની માળા બની ગયા છે. તે આશ્ચર્યજનક છે. પદે–પદે હો નમન, અક્ષરે અક્ષરે જ્ઞાનનો ભંડાર' એમ બોલતા વિનમ્રભાવે સ્વયં આત્મા નબુધ્ધિ બની જાય છે. અસ્તુ. \\\\\\\\\\\\\\(૩૨૮)\\\\\\\\\\\\
SR No.005938
Book TitleAtmsiddhi Mahabhashya Part 02
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorJayantilalji Maharaj
PublisherShantaben Chimanlal Bakhda
Publication Year2010
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy