SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ નાંખે છે અને મૂળ કારણોને ન સમજવાથી જ જીવ ખરા અર્થમાં કદાગ્રહી બને છે, જેને અહીં મતાર્થી કહીને સંબોધન કરેલું છે. સાધનાના બે મુખ્ય પાયા છે. ઉપશમભાવ અને વૈરાગ્ય. સમગ્ર ઉચ્ચકોટિના આખ્યાન અર્થે કથાઓ ઉપશમભાવ અને વૈરાગ્યનું જ કથન કરે છે. ઉપશમભાવથી વિકારભાવો શાંત થવા જોઈએ. કદાચ તેનો ક્ષય થતાં ઘણો સમય લાગે છે. પરંતુ પ્રથમ ઉપશમ થાય અને કષાયો શમી જાય, તો જ આગળ ઉપર આત્મા ક્ષાયિકભાવને વરે છે. આ ગાથામાં ઉપશમભાવનો ઉપદેશ આપ્યો છે અને તેના સુપરિણામ રૂપે વૈરાગ્યનું કથન કર્યું છે. આ ૩રમી ગાથા સમગ્ર સાધના શાસ્ત્રમાં બન્ને સ્તંભોનું આખ્યાન કરી તેનાથી વંચિત જીવને મતાર્થીના પદથી અલંકૃત કર્યા છે. ઉપશમ અને વૈરાગ્ય એ સાધનાની બંને આંખો છે. હવે આપણે ગાથાને સ્પર્શ કરીએ.
SR No.005937
Book TitleAtmsiddhi Mahabhashya Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorJayantilalji Maharaj
PublisherShantaben Chimanlal Bakhda
Publication Year2009
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy