SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સમદર્શ આચાર્ય હરિભદ્ર જે સચોટ ચર્ચા કરી છે ૨૩ તે, હું જાણું છું ત્યાં લગી, કોઈ પણ ભારતીય યોગગ્રંથમાં એ રૂપમાં નથી મળતી. ભારતીય યોગ પરંપરાઓ કઈ ને કઈ તત્ત્વજ્ઞાનની પરંપરા સાથે જોડાયેલી છે જ. તત્ત્વજ્ઞાનની પરંપરાઓ પિતાની સરસાઈ માટે એક યા બીજા મુદ્દા ઉપર ઘણીવાર શુષ્કવાદમાં ઊતરી જાય છે. આવો એક શુષ્કવાદ સર્વજ્ઞ પરત્વે ચિરકાળથી ચાલ્યો જ આવે છે. દરેક પરંપરા પિતાના મૂળ પ્રવર્તકને સર્વજ્ઞ માની ઇતર પરંપરાઓમાં કાંઈને કાંઈ ઊણપ બતાવતી આવી છે. તેથી દરેક પરંપરા માટે સર્વજ્ઞત્વનો પ્રશ્ન એ જાણે એક પ્રાણપ્રશ્ન બની ગયો છે. સર્વજ્ઞ કણ, સર્વજ્ઞત્વનું સ્વરૂપ શું ઇત્યાદિ મુદ્દાઓની બાબતમાં ચાલતી તત્ત્વજ્ઞાનીય ચર્ચા આધ્યાત્મિક સાધના યા બેગમાર્ગને પણ કલુષિત ન કરે, યા એવી ચર્ચાને લીધે યોગસાધક કુતકાળમાં ન સપડાય એવા ઉદાત્ત બેયથી હરિભકે એ સૌથી આળા અને નાજુક મુદ્દાને લઈ કુતકમાં ન પડવાની વાતને અસાધારણ પ્રતિભા તેમજ નિર્ભયતાથી રજુ કરી છે. હરિભદ્ર કહે છે કે આપણે સર્વજ્ઞત્વ વિશે ચર્ચા કરનાર છીએ અર્વાદશ યા ચર્મચક્ષ, તે અતીન્દ્રિય એવા સર્વજ્ઞત્વનું વિશેષ સ્વરૂપ કેવી રીતે જાણી શકવાના ?૨૪ તેથી એનું સામાન્ય સ્વરૂપ જ જાણી આપણે યોગમાર્ગમાં આગળ વધી શકીએ. એ સામાન્ય સ્વરૂપ એટલે નિર્વાણુતત્વને જાણવું અને માનવું એટલું જ. આવા સ્વરૂપમાં કશો વ્યક્તિ, નામ કે પંથભેદ હોઈ શકે નહિ. નિર્વાણતત્ત્વનું જ્ઞાન કે આકલનપ એ જ બધા સર્વત્તવાદીઓનું અભિપ્રેત સામાન્ય તત્ત્વ : આટલું માન્યું તે સર્વનો સ્વીકાર થઈ જ ગયો: આ ન માન્યું તો સર્વજ્ઞ શબ્દની અને સર્વજ્ઞ-વિશેષની બડાઈ કરનાર કોઈ પણ સર્વાને માને છે એમ ન કહી શકાય. આમ કહી હરિભદ્ર પંથ-પંથ અને પરંપરા-પરંપરા વચ્ચે પ્રવર્તતા સર્વજ્ઞ વિશેના વિવાદને ગાળી નાખવાનો સરલ અને બુદ્ધિગમ્ય માર્ગ દર્શાવ્યો. પણ આમ દર્શાવતાં એમની સામે કેટલાક પ્રશ્નો તે ઉપસ્થિત થાય જ છે. જે તમે કહો છો એ
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy