SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭. ૯૮. ૯૯. પરાતો, ઘડા, બાલદી, પાટ, તપેલાં, છીબાં, પાટલા અથવા ઉપકરણો જમીન પૂંજીને જ મૂકવા. ઊંચકીને સ્થાનાન્તર કરવું, ક્યારેય ઘસડવા નહિ. બારી-બારણાં, ખોલતા બંધ કરતી વખતે બન્ને બારણાંની ચારેય સાઈડ વ્યવસ્થિત પૂંજી લેવી. બારી-બારણાં ખોલતા-બંધ કરતાં પૂર્વે સહેજ ખટખટાવવા જેથી ગરોળી વગેરે ત્યાં હોય તો દૂર ખસી જાય. ૧૦૦. વિહારમાં પાણી વાપરવા માટે છાપરા નીચે અથવા ઘટાદાર વૃક્ષ નીચે બેસવું. ખુલ્લામાં ન બેસવું. વૃક્ષ કે છાપરું ન જ મળે અને ખુલ્લામાં જ બેસવું પડે તો ઉપરથી કામળીની આડસ કરીને ઘડો ખોલવો, ટોકસામાં પાણી ભરવું અને વાપરવું. પાણીનો ઘડો કે ટોકસો ખુલ્લો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. કામળી કાળ દરમ્યાન આ ઉપયોગ અચૂક રાખવો. ૧૦૧. વિહાર દરમ્યાન કે કામળીકાળ દરમ્યાન બહાર જતી વખતે આસન કે અન્ય કપડાં વગેરે કામળીની અંદર રાખવા, બહાર ન રાખવા. ભૂલથી આસન બહાર રહી ગયું હોય તો કામળીકાળ વીત્યાને બે ઘડી ન થાય ત્યાં સુધી તે આસનનો ઉપયોગ કરવો નહિ. ૧૦૨. પ્રવચનના સમયે હજુ કામળીકાળ ન થયો હોય અને ખુલ્લામાં ચાલીને પ્રવચનખંડમાં જવું પડતું હોય તો આસન કામળીમાં ઢાંકીને લઈ જવું. ખુલ્લું હાથમાં ન લઈ જવું. ૧૦૩. પગથીયાં સડસડાટ ચડવા-ઊતરવા નહિ. ૧૦૪. દોડતાં-દોડતાં ગિરિરાજ ન ઊતરવો, સહજ ગતિએ ઉતરવો. ૧૦૫. કામળી કાળ દરમ્યાન વિશેષ પ્રયોજન વગર કામળી ઓઢીને પણ બહાર નીકળવાનું ટાળવું. કામળીકાળમાં કામળીનો ઉપયોગ અચૂક રાખવો. ૧૦૬. મકાનમાંથી ૧૦૦ ડગલાંથી અધિક બહાર જવું હોય ત્યારે, ૧
SR No.005932
Book TitleShraman Auchitya Shiksha
Original Sutra AuthorN/A
AuthorMuktivallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy