SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦. ૭૧. ૭૨. ૭૩. ૭૪. ૭૫. ૭૬. ખુલ્લું ન રાખવું, ઉપરનું કવર ઢાંકીને રાખવું. જ્યારે ખોલવાની જરૂર પડે ત્યારે કાર્ય પૂર્ણ થતાં તરત ઢાંકણું ફરી ઢાંકી દેવું. ૭૮. કંદોરો સૂતરની દોરીમાંથી બનાવેલો સાદો વાપરવો. કંદોરામાં લાલપીળા દોરા ગૂંથાવવા નહિ. દોરા ગૂંથેલા કંદોરા વાપરવા નહિ. ઓઘારીયું ગરમ જ વાપરવું. સ્થાપનાચાર્યજી વ્યવસ્થિત ફીટ બેસે, ઠવણી પરથી પડી ન જાય તેવી પહોળી ઠવણી રાખવી. લેટરપેડ, પેન, કવર વગેરે મોંઘા અને આકર્ષક નહિ વાપરવા. સામાન્ય વપરાશમાં કે કામચલાઉ નોંધ માટે એક બાજુ લખેલા બીનઉપયોગી કાગળોનો ઉપયોગ કરવાની ટેવ પાડવી પણ અતિ મહત્ત્વના પ્રયોજન માટે અથવા પૂ. ગચ્છાધિપતિશ્રી કે અન્ય આચાર્ય ભગવંત જેવા વિશિષ્ટ વ્યક્તિઓનાં પત્ર આદિમાં તેવા અર્ધલખેલા કાગળો ન વાપરવા. ઉપકરણોની સાચવણ પૂરેપૂરી રાખવી. તે તૂટે નહિ, ફૂટે નહિ, ખોવાય નહિ તેનું ધ્યાન રાખવું. પણ, આસક્તિ નહિ કરવી. દોરી પરથી કે ખીંટી પરથી કપડાં લેતી વખતે નીચે બેઠાં બેઠાં ખેંચીને ન લેવા. ૭૭. ભક્તિભાવથી ગૃહસ્થ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ વહોરાવવા લાવે ત્યારે ખરેખર આવશ્યક્તા હોય તો જ તે ચીજવસ્તુઓ જોવી. જરૂર ન હોય તો પણ જોવા બેસી જવું અને પછી જે ગમી જાય તે રાખી લેવું તે ઉચિત નથી. નવકારમંત્ર આદિનો જાપ બને ત્યાં સુધી માળા કે હાથ પર ગણવો, કાઉન્ટર ન વાપરવું. ૭૯. સ્ટેપલર, ટાંકણી વગેરે સાધનોનો ઉપયોગ ન કરવો. સ્ટેપલરની પીન, ટાંકણી ખોવાઈ જાય, કોઈને વાગે, સ્ટેપલરની પીન કાઢ્યા પછી ૪૮
SR No.005932
Book TitleShraman Auchitya Shiksha
Original Sutra AuthorN/A
AuthorMuktivallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy