SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ છે રાખવો. માતરીયું એવી રીતે બાંધવું કે ભીનું થતાં તરત સૂકાઈ જાય અને હવામાં ઊડે પણ નહિ. માતરું કર્યા બાદ તરત જ માતરંપરઠવી દેવું પ્યાલો મૂકી ન રાખવો. કદાચ કોઈ કારણસર બે-પાંચ મિનિટ પછી પરઠવવા જવાનું હોય તો ત્યાં સુધી પ્યાલો ઢાંકેલો રાખવો. વર્તમાન દેશ-કાળને ખ્યાલમાં રાખીને, મકાનની સ્થિરતા દરમ્યાન, માતરું કરવા માટે પ્યાલાનો ઉપયોગ અવશ્ય કરવો. ક્યારેક ખુલ્લામાં સીધું ભૂમિ ઉપર માતરું કરવાનો પ્રસંગ આવે ત્યારે ચારે બાજુ નજર કરી લેવી. કોઈની દૃષ્ટિ પડતી નથી તેવી ખાત્રી થયા પછી જ માતરું કરવું. ૧૦. શહેરોમાં કેટલાંક ઉપાશ્રયોમાં અગાસીમાં મારું પરઠવવાની વ્યવસ્થા રાખી હોય છે. તેવા સ્થાનોમાં, અગાસીમાં જે જગ્યાએ પરઠવવા માટે કુંડી બનાવી હોય કે રેતી નાંખેલી હોય ત્યાં જ મારું પરઠવવું ગમે ત્યાં માતરું પરઠવવાથી ક્ષારને કારણે મકાનને નુકસાન થાય, ગૃહસ્થોને અપ્રીતિ થાય વગેરે અનેક ભયસ્થાનો છે. ૧૧. મારું પરઠવવા જતી વખતે પ્યાલાને ઢાંકણું ઢાંકીને જ જવું ગૃહસ્થોની નજર ન પડે તે રીતે માતરું પરઠવવા જવું અને નજર ન પડે તે રીતે જ પરઠવવું. ૧૩. મોટા માણસો, ઘણાં માણસો, યુવાનો, બહેનો, શિક્ષિતો વગેરે બેઠાં હોય તેમની વચ્ચેથી માતરાનો પ્યાલો લઈને પણ પસાર ન થવું. ૧૪. માતરું ગમે ત્યાં ન પરઠવવું. માતરા માટે નિયત કરેલી જગ્યા કે કુંડીમા જ પરઠવવું. માતરું રસ્તા પર ન પરઠવવું ૧૫. રાત્રે મારું પરઠવવાની વસતિ સાંજે અજવાળામાં બરાબર જોઈ લેવી. દિવસે પણ ભૂમિ બરાબર જોઈને પછી જ પરઠવવું. ક્યારેક માતરાની કુંડીમાં નિગોદ, કીડીઓ, ઈયળો વગેરેની અચાનક ઉત્પત્તિ થઈ જાય છે. ૩૬ - ૧૨.
SR No.005932
Book TitleShraman Auchitya Shiksha
Original Sutra AuthorN/A
AuthorMuktivallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy