________________
૬૧.
૬૨.
૬૩.
૬૪.
૬૫.
૬૬.
૬૭.
૬૮.
૬૯.
૭૦.
૭૧.
૭ર.
ગોચરી વહોરીને મકાનમાં પ્રવેશ કરતી વખતે નિસીહિ નમો ખમાસમણાણું મત્થએણ વંદામિ’ બોલવું.
ગોચરી માંડલીમાં જ વાપરવી. કારણ વિશેષથી અલગ વાપરવી પડે તો ગુરુ મહારાજની-વડીલની અનુમતિ લઈ લેવી.
ગોચરી વહેંચવાનું કાર્ય વડીલે અથવા વડીલે નીમેલા અનુભવી મહાત્માએ કરવું.
ગોચરી વહેંચવામાં સામાન્યથી વડીલ-રત્નાધિકનો ક્રમ જાળવવો. ગોચરી વહેંચતી વખતે વાપરનાર મહાત્માઓની અનુકૂળતાપ્રતિકૂળતા, સ્વાસ્થ્ય, અભિગ્રહો, તપશ્ચર્યાનાં ઉત્તરપારણાં-પારણાં, માંદગી વગેરેનો ખ્યાલ કરીને વહેંચવું.
એકાસણાવાળા મહાત્માઓને ગોચરી વહેંચવામાં વધુ વિલંબ ન થાય તેનું ધ્યાન રાખવું.
ગોચરી માંડલી બેસે તે પૂર્વે પાણીના ઘડા, લૂછણીયું વગેરે લાવી રાખવું. માખીઓ ઘણી હોય તો ચૂનો પણ બાજુમાં લાવી રાખવો. ગોચરી માંડલીમાં સહુથી પહેલાં પહોંચીને તરપણીના દોરા છોડી દેવા, આ પણ માંડલીની ભક્તિનો એક પ્રકાર છે.
ગોચરી માટે જેમની તર૫ણી લઈ ગયા હો, તે તરપણીના દોરા આવીને તરત તે મહાત્માને આપી દેવા.
પોતાના પાત્રમાં વહેંચાયેલી ચીજવસ્તુમાંથી થોડું ચોખ્ખું રાખવું અને લાભ આપવા માટે અન્ય મહાત્માને વિનંતી કરવી.
થિયરી રૂપે ગોચરીના દોષોનું બરાબર જ્ઞાન મેળવવું. અને, અનુભવીની સાથે સંઘાટ્ટક તરીકે રહી પ્રેક્ટીકલ જ્ઞાન મેળવવું.
માંડલીમાં આવેલા ગોચરીના પાત્રમાં શું શું આવ્યું છે ? તે જોવાની ઉત્સુક્તા ન રાખવી.
૨૩