________________
૭૨
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ સંકેત મૂકે છે. એનો અર્થ એવો છે કે શબ્દમાંથી વ્યક્તિને અર્થ નીકળે છે; “ગાય” એટલે ગાય એવી વ્યક્તિ એમ કેટલાકનું માનવું છે. વ્યવહાર વ્યક્તિને લાગુ પડે છે, “ગાય લાવ,’ ગાય જાય છે, આમાં ગાય વ્યક્તિને લાવવામાં આવે છે, ગાય વ્યક્તિ જવાની ક્રિયા કરે છે; માટે વ્યક્તિજ શબ્દાર્થ છે એવું એ પક્ષકાનું મત છે. અન્ય વિદ્વાનો કહે છે કે શબ્દમાંથી વ્યક્તિને અર્થ નીકળતો નથી, પણ જાતિનો અર્થ નીકળે છે; માટે જાતિમાં સંકેત માનવો યુક્ત છે. વ્યક્તિઓ અનન્ત છે તેથી એકે એક વ્યક્તિમાં સંકેત મૂકી શકાય નહિ; અને થોડીમાંજ મૂકીએ તે જેમાં ન મૂક્યો હોય તે વ્યક્તિનું જ્ઞાન તે શબ્દથી થાય નહિ. જે પચાસ ગાયની વ્યક્તિઓમાંજ “ગાય” શબ્દનો સંકેત માનીએ તે એકાવનમી ગાયને બંધ “ગાય” શબ્દથી થાય નહિ; માટે જાતિમાંગેવમાં–ગાયપણુમાં સંકેત મૂક યુક્ત છે. જાતિ ને વ્યક્તિ વચ્ચે અવિનાભાવી સંબંધ છે, એટલે જાતિ વિના વ્યક્તિ ને વ્યક્તિ વિના જાતિ રહી શકતી નથી એવો પરસ્પર સંબંધ છે, તેથી સંકેતથી જાતિનું જ્ઞાન થયા પછી વ્યક્તિનું જ્ઞાન આવા સંબંધને લીધે થશે. અન્ય વિદ્વાનોના મત પ્રમાણે જાતિવિશિષ્ટ વ્યક્તિમાં સંકેત રહેલો છે. “ગાય” શબ્દથી “ગાય વ્યક્તિને કે “ગયપણુંનો બોધ થતો નથી, પરંતુ ગાયપણાથી વિશિષ્ટ ગાયવ્યક્તિને બંધ થાય છે. આલંકારિક અને વૈયાકરણનું મત વધારે વ્યાપક છે. તેઓ ઉપાધિમાં સંકેત મૂકે છે. ઉપાધિ એટલે ધર્મ. એ ધર્મ બે પ્રકાર છે-૧. સ્વભાવથીજ વસ્તુમાં રહેલે ધર્મ અને ૨. વક્તાએ પોતાની ઇચ્છાથી તેમાં મૂકેલો ધર્મ. પહેલા પ્રકારનો ઉપાધિ સ્વાભાવિક અને બીજા પ્રકારનો યાદચ્છિક (+રૂછ-રૂ–જે ઈચ્છા, ઈચ્છાથી મૂકેલે) કહેવાય છે. સ્વાભાવિક ઉપાધિ બે પ્રકાર છે –૧. સિદ્ધ (તૈયાર થયેલે) અને ૨. સાધ્ય ( તૈયાર થતો). સિદ્ધ ઉપાધિના પણ બે પ્રકાર છેઃ–૧. જે ધર્મ અમુક વર્ગના પદાર્થમાત્રમાં રહેલો છે તે અને ૨. જે ધર્મ પદાર્થમાં વિશેષતા મૂકે છે અને તેને બીજા પદાર્થથી જુદું પાડે છે. પહેલો ધર્મ તે જાતિ છે. એ વસ્તુનો પ્રાણપ્રદ ધર્મ છે; વસ્તુને વસ્તુ બનાવનાર ધર્મ છે. ગાયમાં ગાયપણું એ જાતિ છે. એ ધર્મ ગાયના વર્ગને અન્ય