________________
४०४ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
પ્રકરણ ૩૪મું વાક્યપૃથક્કરણ: પ્રધાન અને ગૌણ વાક્ય
લક્ષણ–પાછલા પ્રકરણમાં નિરપેક્ષ વાક્યના પૃથક્કરણ વિષે વાત કહી. પરંતુ બધાં વાક્ય નિરપેક્ષ હતાં નથી. સાપેક્ષ વાક્યને બીજા વાક્યની અપેક્ષા હોય છે. જે વાક્યને અન્ય વાક્યની અપેક્ષા હોય છે તે ગૌણ વાક્ય છે અને તે વાક્યને જે વાક્યની, અર્થાત, તેમાંના કેઈ શબ્દની, અપેક્ષા છે તે પ્રધાન વાક્ય કહેવાય છે,
દાખલે
કઈ પણ કામ વારંવાર કરવાથી મનની જે સ્થિતિ થાય છે તેને આપણે ટેવ કહીએ છીએ.–આ વાક્યમાં કઈ પણ થાય છે એ વાક્યને તેને આપણે...છીએ એ વાક્યના “તેને” શબ્દ સાથે અપેક્ષા છે માટે એ વાક્ય ગૌણ છે અને બીજું વાક્ય, જેની સાથે તેને અપેક્ષા છે, તે પ્રધાન છે.
ગૌણ વાક્યના પ્રકાર-ગૌણ વાક્ય નામ તરીકે વપરાયું હેય તે તે નામવાકથ, વિશેષણ તરીકે વપરાયું હોય તે વિશેષણવાકય, અને ક્રિયાવિશેષણ તરીકે વપરાયું હોય તે ક્રિયાવિશેષણવાક્ય કહેવાય છે.
દાખલા
મને આ કામ કરવાને અવકાશ નથી, એવા શબ્દ બહુધા અનિયમિત રીતે કામ કરનારાઓનાંજ મુખમાંથી નીકળે છે. (નામવાક્ય, શબ્દ સાથે સમાનાધિકરણ)
મનુષ્ય ઘણી વાર ધારે છે કે હું આ કામ આટલા વખતમાં પૂરું કરી શકીશ. (નામવાક્ય; “ધારે છેનું કર્મ)
જે ઘણે ઉધોગી છે તેને હરકેઈ કામ કરવા માટે અવા કાશ મળે છે. (વિશેષણવાક્ય; તેને વિશેષ્ય)