________________
૧૪૮
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
એને ઉપાત્તવિષય અપાદાન કહે છે. એમાં છૂટા પડવાની ક્રિયા અપાદાનના વિષય છે તે મુખ્ય ક્રિયાએ ગ્રહણ કરેલી છે; મુખ્ય ક્રિયામાં તેના અર્થને સમાવેશ થાય છે, પ્રકાશે છે' એટલે નીકળીને પ્રકાશે છે.'
૩. ત્રીજા પ્રકારમાં વિશ્લેષક્રિયા–છૂટા પડવાની ક્રિયા–નિર્દિષ્ટ હતી નથી, અધ્યાહ્ત હાય છે.
આ કારણથી તે અપેક્ષિતક્રિય કહેવાય છે.
તમે ક્યાંથી ?–તમે ક્યાંથી આવ્યા ?–એમાં ક્રિયા અપેક્ષિત છે.
અધિકરણ-કÇદ્વારા કે કર્મદ્વારા તેમાં રહેલી ક્રિયાનું જે આધારભૂત કારક તે અધિકરણ કહેવાય છે.
તે સાદડી પર બેસે છે,’ એમાં બેસવાની ક્રિયાના આધાર કર્જ઼દ્વારા સાડી છે. ‘સાડી’ સાથે કર્તાના સંબંધ છે. તે તપેલીમાં ચાખા રાંધે છે,’ ક્રિયાના આધાર કર્મઢારા તપેલી છે. કર્મના સંબંધ છે.
એમાં રાંધે છે'માં રાંધવાની તપેલી સાથે ‘ચાખા’ એ
આધાર પરંપરિત—ક્રિયાના ને કુળના સાક્ષાત્ આશ્રય કર્તા ને કર્યું છે; માટે સાક્ષાત્ નહિ, પણ કÇદ્વારા કે કર્મદ્વારા, અર્થાત્, પરંપરાએ જે આશ્રય છે તેને અધિકરણ કહ્યું છે. ‘તે સાદડી પર બેસે છે,' એમાં સાદડી' કર્તાનાબેસનારના આધાર છે; પરંપરાથી કર્તૃદ્વારા સાદડી' બેસવાની ક્રિયાના આધાર છે, તેથી તે અધિકરણ કહેવાય છે. ટૂંકામાં, ‘સાદડી’ એ કર્તાને (બેસનારનેા) આધાર છે અને કર્તા (બેસનાર) એ ક્રિયાના આધાર છે (ક્રિયા કર્તામાં રહેલી છે); માટે ‘સાદડી’ એ ક્રિયાના કÇદ્વારા આધાર છે એજ પ્રમાણે ‘તે તપેલીમાં ચાખા રાંધે છે,' એમાં ચેાખા' એ રાંધવાની ક્રિયાનું કર્મ છે. ‘તપેલી’ એ કર્મનો (ચોખાને) આધાર છે, અને કર્મ (ચેાખા) એ ક્રિયાને આધાર છે, ક્રિયાનું–ાંધવાની ક્રિયાનું ફળ ચાખામાં રહેલું છે, રાંધવાની ક્રિયા ચેાખામાં થાય છે; માટે ‘તપેલી' એ કર્મેદ્રારા ક્રિયાના આધાર છે.
પ્રકાર–અધિકરણના બે પ્રકાર છે– ૧. પ્રધાન અને ર. ગૌણુ.
‘તલમાં તેલ,’ ‘દુહિંમાં ઘી,’ એમાં ‘તલ’ અને ‘દહિં’ પ્રધાન