________________
૪. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધ્યાન
જૈનદર્શનમાં ધ્યાન' વિષેના અભ્યાસ પછી આ દર્શનમાં મોક્ષમાર્ગ કોને કહે છે તે જાણવું રસપ્રદ થઈ પડશે. સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માર્ગ”
- શ્રી તત્ત્વાર્થસૂત્ર ૧/૧. જેનદર્શનમાં, “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા એ મોક્ષ માર્ગ છે” એમ કહ્યું છે.
વળી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને જ પરમાર્થથી આત્મા કે આત્મધ્યાન કહ્યું છે. તેને “રત્નત્રય' પણ કહેવામાં આવે છે. એ શબ્દસંકેત વડે એનું રહસ્ય સમજીશું.
સમજ્ઞાનની પ્રાપ્તિ વિના તપ, જપ, સ્વાધ્યાય સર્વક્રિયા શુભાસવરૂપ ગણી છે. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ પછીના જપ-તપાદિ સર્વ અનુષ્ઠાન મુક્તિ પ્રત્યે લઈ જનારાં છે.
સમ્યગ્દર્શન એ મોક્ષમાર્ગનું દ્વાર છે. તેમાં તત્ત્વની સભ્યશ્રદ્ધા એ મહત્ત્વનું અંગ મનાયું છે, તેની પ્રાપ્તિ જ્ઞાનીજનોએ દુર્લભ ગણીને પ્રકાણ્યું કે,
“જથ્થા પરમ પુtrદા” આ વિકટકાળમાં માનવજીવન મહઅંશે બહિર્માર્ગી થતું ગયું છે અને સૌ બહારથી કંઈ મેળવવા માટે અહોરાત્ર દોડે છે. આવા સંજોગોમાં આત્મા, પરમાત્મા અને તત્ત્વની શ્રદ્ધા ક્યાંથી હોય? એ પ્રકારની શ્રદ્ધા થવી જ દુર્લભ છે. પૂર્વના યોગે આરાધના કરતા સાધકને પણ જ્ઞાનીઓએ ચેતવણી આપી કે ચારિત્રથી (આચરણથી) વિચલિત સાધક કષાયોને જીતી પાછો આત્મધર્મમાં આવે તેવો સંભવ છે, પણ શ્રદ્ધાથી-સમ્યકત્વથી વ્યુત થયેલો સાધક આત્મધર્મમાં દીર્ઘકાળે પણ પાછો વળતો નથી. વળી પાછો કોઈ સુયોગ મળી આવે તો આત્મધર્મ પામે ખરો, જેનદર્શનમાં શ્રદ્ધારૂપી તત્ત્વની આવી એક નિરાળી પ્રરૂપણા છે તે આ સ્વાધ્યાય દ્વારા કંઈક સમજમાં આવશે.
અનાદિકાળના મિથ્યાભાવનો સૌપ્રથમ છેદ કરવા, કે ભેદજ્ઞાન
૫૩