________________
શરણાંજલિ સમજવી કઠિન છે આ સંસારની માયા, અમર નથી રહેતી કોઈ જીવનની કાયા'' આપે નિર્ચાજ પ્રેમ અને વાત્સલ્યનું સિંચન કરી, પરિવાર રૂપી વટવૃક્ષ ઉગાડયું. એની શીતળ, શાંત છત્રછાયામાં અમે નિશ્ચિત રહ્યા. ઘરસંસારરૂપી વેલને સ્નેહ અને સમર્પણથી સિંચીને કુટુંબના સભ્યોને એક તાંતણે બાંધ્યા. આપની આંગળી પકડી અમે જગત જોતાં શીખ્યા. આપની વ્યવહાર કુશળતા, ધર્મપ્રેમ અને કર્મનિષ્ઠાએ પરિશ્રમને પારસમણિ બનાવ્યો.
શ્રી શંખેશ્વર સંઘ લઈને ગયા હતા ત્યારે આપશ્રી અમને પૂજ્ય શ્રી જંબૂવિજ્યજીના દર્શનાર્થે એમને શોધતા શોધતા કોઈ નાના ગામમાં લઈ ગયા હતા. ત્યારે પૂજ્ય શ્રી જંબૂવિજ્યજીએ આપના માટે કહ્યું હતું કે “આ મારા બાળપણના મિત્ર છે. અમે લંગોટીયા દોસ્ત હતા. અને તારા બાપુજી એક શ્રેષ્ઠ શ્રાવક છે.” I બેન્કના ડીરેકટર, જ્ઞાતિના પ્રમુખ, સોસાયટીના ચેરમેન અને બીજી અનેક સંસ્થાઓને આપે જીવનભર સેવા આપી હતી. - આ પંચમ કાળમાં ભગવાન શ્રી રામ જેવું આદર્શ જીવન જીવ્યા. અમેરીકાના પ્રવાસ દરમ્યાન આપના સદ્ગણોની સુવાસ ચારે બાજુ ફેલાવી તે હજી પણ યાદ આવે છે...આપનુ સ્મરણ અને સંસ્કાર અમારા માટે ઉર્જાસ્ત્રોત રહેશે. આપ અમારી શક્તિ હતાં અને આજેય છો. આપની ખોટ કોઈ કાળે પૂરી કરી શકાશે નહી. આપના પદચિને ચાલવાની પ્રભુ અમને શક્તિ આપે...
પરમકૃપાળુ પરમાત્મા આપના દિવંગત આત્માને જન્મોજન્મ પરમ શાંતિ અને શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવે એજ પ્રાર્થના...
દીપક અને ધર્મી શાહ
તથા આપનો વિશાળ પરિવાર