________________
તારે કરવો પડશે. મારી આજ્ઞાપૂર્વક પરનો ઉપયોગ તું કરી શકે છે. પણ પરમાં ઉપયોગ તારે રાખવાનો નથી.
નોકરને શેઠે કહ્યું : પાણી લાવ તો !
નોકર પાણી લેવા માટલી તરફ દોડશે. એ વખતે શેઠ તો એની પાછળ નહિ જાય ને ? નોકરનું કામ નોકર કરશે.
તો, એ જ રીતે, હાથમાં કોળિયો ભરાશે; મોઢામાં એ ઠલવાશે; શરીરનું યંત્ર આપમેળે આ પ્રક્રિયા કરી લે છે. તો તમે તમારા મનને (ઉપયોગને) ત્યાં શા માટે મૂકો ? | હસતાં હસતાં હું ઘણીવાર કહેતો હોઉં છું કે તમારો ભરાયેલો કોળિયો તમારા મોઢામાં જ ઠલવાશે. એ ન તો નાકમાં જશે કે ન કાનમાં કે આંખમાં. તો પછી ઉપયોગને ત્યાં કેમ રાખો છો ? | તમે તમારા ઉપયોગને ત્યાં મૂકો છો-ખાવાની પ્રક્રિયામાં-ત્યારે એ સ્વાદિષ્ટ ભોજનનાં દ્રવ્યો પ્રત્યે આસક્તિ કરશે. અસ્વાદુ દ્રવ્યો પર અરતિ તેને થશે.
એને બદલે, કોઈ સ્તવનની મજાની પંક્તિમાં મનને રોકી દઈએ
તો...?
ઉપયોગને પરમાંથી પાછો ખેંચવો એ ધ્યાન માટે અત્યંત આવશ્યક ચીજ છે.
હકીકતમાં, પરમાં શું છે ?
પરમાં કશું જ તમને ખેંચે એવું નથી. માત્ર અનાદિની અભ્યસ્તતાને કારણે તમે એ બાજુ જાવ છો.
એકવાર સ્વની આનંદમયી દુનિયામાં પ્રવેશ થઈ જાય તો તમે પરમાં જવાના નથી. પરમાં તમે જઈ શકો નહિ. - વિદુષી સાધિકા સુનંદાબહેનનું આ પુસ્તક સ્વની દુનિયામાં પ્રવેશવા માટેનું મઝાનું આમંત્રણપત્ર છે.
બહુ જ સરળ રીતે તેમણે ધ્યાનની વ્યાખ્યા અને ધ્યાનમાં પ્રવેશવા માટેનાં માર્ગોની સમજુતી આપી છે. - આ ગ્રંથના સ્વાધ્યાય દ્વારા જિજ્ઞાસુઓ આનંદમય ભીતરી લોકમાં પ્રવેશે એ જ મંગળ કામના.
-યશોવિજ્યસૂરિ
ધોલેરા તીર્થ ફા.વ, ૧૧, ૨૦૭૧ તા. ૧૫-૦૩-૨૦૧૫