________________
ક્રમે કરી પૂર્ણદર્શનને કેવળદર્શનને પામે છે; પૂર્ણધ્યાનદશાને પામે છે. આત્મલક્ષે, સમ્યક્દર્શનયુક્ત, શુધ્ધિપૂર્વક થતી ધ્યાન આરાધના સાધક માટે સર્વોત્તમ છે. દૈહિકભાવે થતી ક્રિયા કે બાલચેષ્ટારૂપ ક્રિયા એકડા વગરનાં મીંડાં જેવી છે. માટે જૈનદર્શનમાં સમ્યગ્દર્શનનું અત્યંત મહત્વનું સ્થાન છે, કારણ કે તે મુક્તિનું દ્વાર છે. ધ્યાનદશાયુક્ત મુનિઓનાં જીવનનું સત્વ :
સર્વોત્કૃષ્ટ જ્ઞાની પુરુષોએ આત્મજ્ઞાન અને ધ્યાનના માર્ગને ચરમસીમાએ આરાધી પરમતત્ત્વને પ્રગટ કર્યું છે અને જગતના જીવો માટે એ કલ્યાણમાર્ગની વિશદતાથી પ્રરૂપણા કરી છે. એ માર્ગ અતિસૂમ અને અનુભવગમ્ય છે; છતાં સર્વ કલેશથી મુક્ત થવાનો ધ્યાન' એકમાત્ર ઉપાય છે. સૂર્યના પ્રકાશ વડે જેમ પદાર્થો ચક્ષુગમ્ય થાય છે. તેમ આત્મજ્ઞાન વડે આત્મા વિવેકરૂપી પ્રકાશ પામે છે અને પદાર્થનું સ્વરૂપ યથાર્થપણે સમજે છે. તે પછી સંસારથી વિરક્ત થઈ ધ્યાનમાર્ગને આરાધી સહજ સુખ પ્રાપ્ત કરે છે.
પ્રાચીન સમયમાં ધ્યાન એ યોગીજનો અને મુનિઓનાં જીવનનું સત્ત્વ હતું, તેઓ વિશિષ્ટ ધર્મધ્યાનના પ્રશસ્ત અધિકારી હતા અને
છે.
( પુરાણ કથાના ન્યાય પ્રમાણે જેમ ભગીરથ રાજાના મહાપ્રયત્નથી હિમાલયવાસિની ગંગાનું અવતરણ થયું અને ગંગા પૃથ્વી પર પ્રવાહિત થઈ; તેમ મુનિજનોના હૃદયકમળમાં સ્થિત થયેલી ધ્યાનદશાનું સત્ત્વ આ કાળે કેટલાક સંતો, સાધકો, જ્ઞાનીઓના પવિત્ર પુરુષાર્થ અને ઉપદેશબળના માધ્યમ દ્વારા માનવજીવનમાં ધ્યાનમાર્ગરૂપે વત્તેઓછે અંશે પ્રવાહિત થયું છે. સાધકને ચેતવણી :
જ્ઞાની પુરુષોએ પ્રકાર્યું છે કે ધ્યાન એ કશું પ્રાપ્ત કરવાની ક્રિયા નથી, તેનું આત્મા સિવાય કોઈ ગંતવ્યવસ્થાન નથી, કોઈ વિધિસૂચિત પ્રક્રિયા નથી, કે કંઈ થઈ જવાનું આયોજન નથી. ધ્યાનદશા એ આત્માનુભૂતિ છે-સમદશા છે. અંતની સહભાવસ્થામાં મન, ઈદ્રિયો, વિચાર, વાણી વગેરે સર્વ ક્રિયાઓ શાંત થઈ જાય છે.
૧૬