________________
હૃદયપ, શરીરનાં નાસિકા વગેરે વિવિધ સ્થાનોનું ગ્રહણ કરવામાં આવે છે. આ અંગે યોગીશ્વર સદગુરુની નિષ્ઠામાં અભ્યાસ કરવો.
સાધકે પ્રથમ બાહ્ય વિષયો અને ક્રમે ક્રમે આવ્યંતર વિષય લેવા. ધારણાનો પ્રયોગ રોજ એ જ વખત સળંગ આઠ ઘટિકા કરવો. આથી વિષયની સિદ્ધિ અલ્પકાળમાં થાય છે. અધિકારી પ્રમાણે ન્યૂનાધિક સમય રાખવો. ધારણાની સિદ્ધિમાં લોભાઈને સ્વત: પ્રવેશ કરવો નહિ, તેમાં મહાહાનિ થવા સંભવે છે. (૦) ધ્યાન :
ધારણાના દેશમાં ધ્યેય વિષયક પ્રત્યયની જે એકતાનતા તે ધ્યાન છે. ધ્યેય વસ્તુને આલંબન કરનાર જે વૃત્તિ તેની એકાગ્રતા પ્રાથમિક સર્વ યોગીઓને ધારણાના દેશમાં થાય છે. આથી ધ્યાનનું સ્વરૂપ એ થયું કે ધ્યેય વસ્તુમાં જે અંતરાય સહિત એકાકારવૃત્તિનો પ્રવાહ થવો તે ધ્યાનપ્રવાહ સતત ધારારૂપ હોતો નથી, પણ મળે વિચ્છેદવાનો હોય છે. તે દૂર થતાં અવિચ્છિન્ન (અંતરાય રહિત) પ્રવાહ સતરૂપે ચાલ્યા કરે છે ત્યારે તે સમાધિ કહેવાય છે.
ધ્યાન અનેક પ્રકારનાં છે. તેમાં પરમાત્મા વિષયક સગુણ અને નિર્ગુણ ધ્યાન શ્રેષ્ઠ છે. (૮) સમાધિ :
ધ્યાનના અતિશયને સમાધિ કહી છે. ધ્યાનમાં હું અમુક ધ્યેયનું ચિંતન કરું છું એ પ્રકારની વૃત્તિ હોય છે, તેમ જ અંતરાયસહિત વૃત્તિનો પ્રવાહ ધ્યેય પ્રતિ ચાલે છે. જ્યારે અભ્યાસ કરીને ધ્યેયાકાર વૃત્તિનો પ્રવાહ અખંડિત થાય છે ત્યારે તેને સમાધિ કહે છે.
ધ્યાનના અભ્યાસથી મન વડે સિદ્ધ થતું ધ્યેયથી ધ્યાનના ભેદરૂપ કલ્પનાથી રહિત જે ધ્યેય વસ્તુનું ગ્રહણ, તે સમાધિ કહેવાય છે. જ્યારે ઈદ્રિયો અને મન બન્ને સમાનગતિક થાય છે અને જ્યારે બુદ્ધિ ગતિરૂપ ચેષ્ટાથી રહિત થાય છે, જ્યારે ધ્યેય સ્વરૂપનો નિર્માસ (વૃત્તિરહિસ્વત) થાય છે અને વાસનાનો નાશ થાય છે ત્યારે જે અવસ્થા હોય છે તે સમાધિ છે. ધ્યાનમાં ધ્યેયનું અને વૃત્તિનું પૃથક્ ભાન હોય છે અથવા ધ્યાનમાં થેયાકાર વૃત્તિનો પ્રવાહવિચ્છિન્ન હોય છે, સમાધિમાં અખંડિત હોય છે. આ ગ્રંથમાં યોગની અને યોગ દ્વારા ધ્યાનની મુખ્યતા હોવાથી દોષત્યાગ ઈત્યાદિનું વર્ણન આપ્યું નથી.
૨૦૨