________________
યોગીને ઈશ્વર-અનુગ્રહથી સમાધિની સિદ્ધિ થાય છે. તેથી યોગી શ્રવણ-મનન કાળે, સર્વ ધ્યેય-પદાર્થને યથાર્થ રીતે જાણે છે. તે પછી ઈશ્વરાનુગ્રહથી સાક્ષાત્કાર થાય ત્યારે તે યથાર્થ સ્વરૂપે તે વસ્તુને વિષય કરે છે. તેથી ઈશ્વરપ્રણિધાન કે અનુગ્રહ વૈરાગ્ય દ્વારા, સંપ્રજ્ઞાત સમાધિની સિદ્ધિનો હેતુ છે. તે પછી અસંપ્રજ્ઞાત સિદ્ધિ પરાવૈરાગ્ય દ્વારા થાય છે. અન્ય યોગાંગોની રૂડે પ્રકારે સિદ્ધિ ઈશ્વરપ્રણિધાનથી થાય છે.
પરમાર્થથી, પ્રાણવાન યથાર્થ ઉચ્ચારણ સહિત, તેના વાચ્યાર્થ રૂપ ઈશ્વરનું ચિંતન તે ઈશ્વરપ્રણિધાન. તેના સેવનથી સમાધિ અને તેના ફળરૂપ મોક્ષપ્રાપ્તિ થાય છે. વ્યાધિના અંતરાયનો અભાવ તથા ચેતનાનો સાક્ષાત્કાર થાય છે.
(૩) આસન :
થૈર્યને-નિશ્ચલતાને સંપાદન કરનાર અને અવયવોને વ્યથા ન કરનાર જે આસન હોય તે યોગના અંગરૂપ છે. આસનો ઘણા પ્રકારનાં છે. તેમાં મુખ્ય ચાર છે : (૧) સિદ્ધાસન (૨) પદ્માસન (૩) સ્વસ્તિકાસન (૪) ભદ્રાસન. - સદ્ગુરુની આજ્ઞાનુસાર આસનો ગ્રહણ કરવાં. દેહના અતિવ્યાપાર થયા પછી આસનસ્થિતિ ટકતી નથી. માટે તેવા પ્રયત્નોને શિથિલ કરવા ચિત્તને અનંતનું ધ્યાન ધરવામાં લગાડવું, જેથી અભ્યાસે, ધ્યાતા ધ્યેયરૂપ થાય.
આસનજય થવાથી સાધકને ક્ષુધા-પિપાસા જેવાં દ્રવ્યો બાધ કરતાં નથી.
(૪) પ્રાણાયામ :
આસનસિદ્ધિ પછી શ્વાસ-પ્રશ્વાસની ગતિને રોધવી તે પ્રાણાયામ છે. પ્રાણ = શ્વાસોચ્છવાસ + આયામ = રોધ. આસનસિદ્ધિ પછી પ્રાણાયામથી માંડી સર્વ સાધનોનું અનુષ્ઠાન કરવાનું છે. યમ-નિયમનું પૂર્વજન્મમાં અનુષ્ઠાન કર્યું હોય તો તે સહેજે થાય છે.
પ્રાણાયામ ઘણા પ્રકારના છે. શ્વાસ-પ્રશ્વાસનો રોધ કે અભાવ તે પ્રાણાયામ છે. તેથી એ લક્ષણ રેચક, પૂરક અને કુંભક એ ત્રણેયમાં અનુગત થયેલું હોવું જોઈએ. અંદરના વાયુને બહાર કાઢવો તે ‘રેચક’ છે. બહારના વાયુને નાસિકા દ્વારા અંતઃપ્રવેશ કરાવી રોધવો તે ‘પૂરક’ છે. વાયુને જ્યાંનો ત્યાં રોધવો તે ‘કુંભક' છે. (શરીરના અવયવો સ્થિર રાખવા). પ્રાણાયામ કરનારે અશનયોગ આહાર સાત્ત્વિક રાખવો,
૨૦૦