________________
પ્રતીતિ છે. સમ્યગ્દર્શનનો આધાર અનુભૂતિ, આગમન અને અનુભવ આ ત્રણના સુમેળથી વિશુદ્ધ તત્ત્વપ્રાપ્તિ થાય છે.
આપ્તવચન ઉપરના વિશ્વાસથી અને તર્ક દ્વારા મળેલું આત્મા અને પરના ભેદનું જ્ઞાન ગમે તેટલું ઊંડું હોય તોય તે બૌદ્ધિક સ્તરનું હોવાથી, તે એ ભેદની દૃઢ પ્રતીતિ જન્માવી શકતું નથી કે જેથી નિબિડ રાગદ્વેષની ગ્રંથિ ભેદાઈ જાય. એટલે જ સ્વ-પરના ભેદનો સાક્ષાત્કાર કરાવતા અનુભવને સમ્યગ્દર્શનનું પ્રથમ સ્થાન કહ્યું. આત્મા અને કાયાના ભેદનો સાક્ષાત્કાર તે સમ્યગ્દર્શન.
સ્વ-પરના ભેદની સ્વાનુભૂતિ દેહાત્મબુદ્ધિરૂપ રાગદ્વેષની જડને જ ઉખેડી ફેંકી દે છે, તેથી તેની સાથે મોહનું આખુંય વિષવૃક્ષ તૂટીને ઢગલો થઈ નીચે પડે છે અને ક્રમશઃ તે કરમાઈ સુકાઈને નષ્ટ થઈ જાય છે. આથી અનુભવ અર્થાત્ પારમાર્થિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી જન્મમરણની પરંપરા અનિયંત્ કાળ સુધી નભી શકતી નથી. અર્થાત્ ભવભ્રમણની સીમા અંકાઈ જાય છે.
આત્મવિશુદ્ધિ સાથે જેને નિસ્બત નથી એવી કોઈ શક્તિઓ કે સાધનાપ્રણાલિઓ અંગે કુતૂહલ રાખ્યા વિના આત્માર્થી વ્યક્તિએ આત્મસાધનામાં જ રત રહેવું શ્રેયસ્કર છે. સાચો આત્માર્થી સિદ્ધિઓની પ્રાપ્તિ માટે સભાન પ્રયત્ન કરતો નથી.
સ્વરૂપાનુસંધાન વિના કેવળ બાહ્યક્રિયાઓ વડે સધાયેલી ચિત્તની એકાગ્રતા ઠગારી નીવડે છે. ધ્યાનાભ્યાસનું પ્રધાન પ્રયોજન એ છે કે, ચિત્તને અનેકમાંથી એકમાં લાવીને પછી એકમાંથી આત્મામાં લીન કરવું. સ્વરૂપ સાથે ચિત્તનું અનુસંધાન કર્યા વિના ચિત્તમાં પડેલા તૃષ્ણા, રાગ, દ્વેષ અને મોહ-અવિદ્યાના સંસ્કારોની જડ ઉખેડી શકાતી નથી. માટે સૌ પ્રથમ આત્મજ્ઞાનને પ્રગટ કરવા પ્રબળ પુરુષાર્થ કરવો.
૧૮૯