SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) લોકસંસ્થાનવિચય : સૃષ્ટિનું સ્વરૂપચિંતન. અનંત આકાશ જેની સર્વ બાજુએ આવી રહેલું છે તે લોક છે. સર્વજ્ઞદેવે તે લોકને પોતાના જ્ઞાનમાં “નિત્ય છે તેમ જોયેલો છે. આ લોક, સ્થિતિ ઉત્પત્તિ અને વિનાશ પામનારા ચૈતન્ય અને જડ પદાર્થોથી ભરેલો છે. તે અનાદિ સિદ્ધ છે. તે લોકમાં ત્રણે જગત રહેલાં છે. વિના પ્રયોજને ઈચ્છા વિના પણ ઉત્પન્ન થતા વિકારોને હઠાવવા માટે આ લોકના સ્વરૂપનો વિચાર કરવાનો છે. વિચાર એ વિકારનું ઔષધ છે. તે વિચાર નિર્મળ હોવા જોઈએ. મનને સમતોલ રાખે તેવા વિચારો જોઈએ. આ લોકમાં એક પણ પદાર્થ મનને આકર્ષણ કરી શકે તેવો નથી તેવો નિર્ણય તે ધ્યાનને ઉપયોગી છે. ધર્મધ્યાનના ચાર ભેદ (૧) પિંડસ્થ (૨) પદસ્થ (૩) રૂપસ્થ અને (૪) રૂપાતીત. ધ્યાતા - ધ્યાન કરનાર ધ્યેય - ધ્યાન કરવા લાયક અવલંબન ધ્યાન - ધ્યાતાને ધ્યેય સાથે જોડનાર, ધ્યાતા તરફથી થતી સજાતીય પ્રવાહવાળી અખંડ ક્રિયા. આલંબનરૂપ ધ્યેય છે તેમાં અંતરદૃષ્ટિ કરી, બીજું કંઈ ચિંતન ન કરતાં સતત તે વિચારની એક વૃત્તિનો અખંડ પ્રવાહ. પિંડસ્થ, પદસ્થ, રૂપ0, રૂપાતીત-આ ચાર ધ્યાન કરવા લાયક આલંબન-ધ્યેય છે. (૧) પિંડ એટલે દેહ, તેમાં સ્થ-એટલે રહેનાર આત્મા, તેનું ધ્યાન કરવું તે પિંડસ્થ ધ્યાન છે. વળી શરીરના અમુક અમુક ભાગોમાં જુદી જુદી માનસિક કલ્પના કરી મનને તે તે આકારે જાગૃતિપૂર્વક પરિણમાવવું, અથવા આત્મઉપયોગને તેવા આકારે પરિણાવવો. વિકાર રહિત, રાગાદિભાવ રહિત આત્મઉપયોગને સ્થિર કરવો. (મન એકદમ સ્થિર ન થાય માટે શરીરના અવયવો પર ઉપયોગ સ્થિર કરી પગથી માથા સુધી ફેરવવો. શરીર વિપશ્યના) રૂપાતીત ધ્યાનમાં જતાં પહેલાં સ્થૂલ ક્રિયા કરવી જરૂરી છે. તે ૧૮૪
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy