________________
પ્રીત કિયે દુઃખ હેય” રાજી થશે. તેમની દીકરીનું આટલું મોટું સૌભાગ્ય તેમનાથી ગુપ્ત રાખવું, એ તે તેમની રિબામણ નાહક લંબાવ્યા કરવા જેવું નથી? એમેય સાંભળ્યું છે કે તે બહુ જ બીમાર પડી ગયા છે.”
“તેં કયાંથી વળી એવી વાત સાંભળી? વાર્નેએ સર ટૂ રોબ્સર્ટને કહી શકાય તે મર્યાદામાં તારા ખુશી-સમાચાર પહોંચાડયા જ છે. અને તેણે તને નથી કહ્યું કે, તારા પિતા તો એમના પ્રિય ખેલ શિકારે જ નીકળ્યા હતા અને ભલાચંગા હતા? તારા મગજમાં એમની બીમારીનો ખોટો ખ્યાલ ઘુસાડવાની હિંમત કોણે કરી છે, વાર?
“કોઈએ નહિ, મારા સ્વામી, કોઈએ નહિ. પણ મને મારી નજરે મારા પિતા ભલા-ગંગા છે એ જોઈ આવવા દે.”
“જો ઍમી, અત્યારે તું તારા પિતા કે તેમના કુટુંબીઓ સાથે કશો સંબંધ રાખી શકશે નહિ. કોઈ પણ ગુપ્ત વાત જરૂર કરતાં વધુ માણસોને કાને ન જવી જોઈએ, એ તો રાજનીતિનું પહેલું સૂત્ર કહેવાય; પણ તારા પિતાની બાબતમાં તે બીજું ખાસ કારણ એ છે કે, પેલો બદમાશ ટ્રેવેનિયન કે ટ્રેસિલિયન, જે નામ હોય તે, એ બુઢ્ઢા નાઈટના મકાનમાં આવ-જા કરે છે, એટલે તારા પિતા પાસે જે વાત પહોંચે, તે એના જાણવામાં આવી જ જાય.”
“હું એમ નથી માનતી, મારા સ્વામી; મારા બાપુ તે ઈજજતદાર લાયક માણસ છે, અને ટ્રેસિલિયન પણ. આપણે તેને જે ખોટું લાગવાનું કારણ આપ્યું છે તે છતાં, મને નુકસાનના બદલામાં નુકસાન કરવા તત્પર થાય તેવો નીચ એ હરગિજ નથી.”
પણ મને એના ઉપર બિલકુલ વિશ્વાસ નથી, એમી; હું તે એના ઉપર વિશ્વાસ મૂકવાને બદલે ભૂંડા ખવીસ ઉપર પહેલો મૂકું.”
“એમ કેમ, મારા સ્વામી? ટ્રેસિલિયન બાબત તમારી આવો ખરાબ અભિપ્રાય શાથી છે?”
“મૅડમ, મારી મરજી એ જ પૂરતું કારણ છે; અને છતાં તમારે વધુ કારણ જાણવું હોય, તે એ ટ્રેસિલિયન કોને પક્ષકાર છે, એ જરા વિચારી જુઓ. એ રેટલિફ – અલ ઑફ સસેકસને માનીતો છે, અને શંકાશીલ રાણીજીની કૃપાદૃષ્ટિમાં ટકી રહેવામાં સસેકસ સામે મારે નિરંતર ઝૂઝવું પડે છે. એટલે રાણી એલિઝાબેથને હું યોગ્ય રીતે તૈયાર કરે તે પહેલાં આપણા