________________
પ્રીત કિયે દુઃખ હેય” જમાનામાં મોટા મોટા ખાનદાન ઉમરાવ જેમ રાજાની એવી તુચ્છ સેવાઓ બજાવવામાં મોટપ માનતા, તેમ સારાં ખાનદાનના બીજા સામાન્ય ઉમરાવજાદા અર્લ વગેરે બીજા ઉમરાવોને ત્યાં એવી સેવાઓ બજાવતા. વાને પણ એક ખાનદાન પરંતુ ઘસાઈ ગયેલા કુટુંબનો જુવાનિયો હતો. તે શરૂઆતમાં અર્લની સામાન્ય સ્થિતિ વેળા સામાન્ય સેવક તરીકે તેમની સેવામાં દાખલ થયો હતો, અને પછી તેમના મુશ્કેલીના સમયમાં એમને વફાદાર નિષ્ઠાવાન સાથી બન્યો હતો. પછીથી જ્યારે અર્લ ફૂદકે ને ભૂસકે રાજદરબારમાં આગળ વધવા લાગ્યા, ત્યારે તો તે એમને ખાસ ઉપયોગી નીવડયો હતે. આમ ભૂતકાળની અને વર્તમાનકાળની સેવાઓને જોરે, તે અત્યારે એમનો અનિવાર્ય વિશ્વાસુ માણસ બની ગયો હતો.
સવારમાં પોતાનું ગાઉન ઉતારતાં ઉતારતાં અનેં કહ્યું, “વાને, મને સાદો ઘોડેસવારીને જન્મો પહેરાવ; અને ટેબલ ઉપર પડેલાં પેલાં કૉલરો, સાંકળો વગેરે બધી બેડીઓ તે ક્યાંક ઠેકાણે મૂકી દે. કાલે રાતે એમના ભારથી તે મારું ગળું મરડાઈ જવા બેઠં હતું. મને તો હવે એ બધાં જતાં કરવાનું જ મન થઈ ગયું છે. હરામખોરોએ મૂર્ખ લોકોને જકડમાં લેવા શોધેલી એ બધી હેડબેડીઓ જ છે.”
પણ મારા લૉર્ડ, સોનાની સાંકળ બીજી સાંકળો જેવી ન ગણાય; અને તે જેમ વજનદાર હોય તેમ વધુ આવકાર્ય થઈ પડે!”
“એ બધું હશે, પણ હવે એ બધી શૃંખલાઓ મને રાજદરબાર સાથે વધુ વખત જકડી નહિ રાખે, એમ મેં વિચારી લીધું છે. મેં જે મોટી જાગીર અને હોદો-પ્રતિષ્ઠા અત્યાર સુધીમાં મેળવ્યાં છે, એથી વિશેષ હવે વધુ વખત રાજદરબારમાં પડી રહેવાથી મને શું મળવાનું છે – ત્યાં ને ત્યાં વળગી રહેવામાં તે છેવટે પિતાની સમુચિત મર્યાદામાં ન રહેવાથી મારા પિતાની પેઠે કુહાડાથી ગળું જ કપાવવું પડે.* હું પણ અત્યાર આગમચી કેટલી બધી ઘાંટીમાંથી બચી નીકળ્યો છું? એટલે હવે સાહસનો દરિયો વધુ ન ખેડવાનું મેં લગભગ નક્કી કરી દીધું છે.” - ક લિસેસ્ટરના પિતા જૈન ડડલી એડવર્ડ-૬ના રાજ્યકાળ દરમ્યાન વૌ રવિકના અલ અને નોર્ધમ્બલેન્ડના ડથક હતા. રાજસિહાસને એડવર્ડ-૬ પછી લેડી જેન ગ્રેને બેસાડવાનો પ્રયત્ન કરવા જતાં તેમને મોતની સજા કરવામાં આવી હતી. - સંપા.