________________
માછલીને છતપતા,
ના ચખૂણિયા કન્ઝર-પ્લેસ ભવનના પશ્ચિમ બાજુના ચાર કમરા અસાધારણ વૈભવથી સજાવવામાં આવ્યા હતા. આપણી આ વાર્તા શરૂ થઈ તેનાથી થોડાક દિવસ અગાઉ જ એ કામ પૂરું થઈ ગયું હતું. લંડનમાંથી મોકલવામાં આવેલા ખાસ કારીગરોએ આવીને ખંડેર બનેલા મઠની ઇમારતના એ ભાગને અંદરથી રાજમહેલ બનાવી દીધો હતો. એ કારીગરો એ કામ પૂરું કરી રહ્યા ત્યાં સુધી તેમને એ મકાનની બહાર નીકળવા દેવામાં આવ્યા ન હતા. એમને લાવ્યા હતા પણ રાતે અને વિદાય પણ રાતે જ કર્યા હતા; - જેથી ગામના કોઈને કશી ખબર ન પડે. એ મકાન એન્થની ફોસ્ટરનું ગણાતું, અને એ આકરા તપસ્વી-પંથમાં ભળેલો હોઈ, તેના મકાનમાં રાજમહેલની આવી સમૃદ્ધિ ઠાંસીને ભરવામાં આવી છે એની વાત બહાર જાય, તો લોકો તરેહવાર કલ્પના કરવા લાગી જાય, અને પછી તેમની ઇંતેજારીથી એ મકાન અને તેમાં ચાલતું બધું ગુપ્ત રહે જ નહિ.
આજે સાંજે પહેલી જ વાર આ કમરાઓવાળા ભાગમાં રોશની કરવામાં આવી હતી. બારીબારણાં ખુલ્લાં હોત તો જેનો ઉજાસ પાંચ-છ માઈલ દૂરથી નજરે પડત, તે બારીઓ ઉપરનાં ઓકનાં બધાં શટરો બરાબર બોલ્ટ અને તાળાંથી કાળજીપૂર્વક વાસી દીધેલાં હોઈ, તથા ઉપરાંતમાં ઢાંકી દીધેલાં હોઈ, બહારથી પ્રકાશનું એક કિરણ પણ નજરે પડી શકે તેમ ન હતું.
એ કમરામાં એક મોટી સીધી નિસરણી ઉપરથી જવાય તેમ હતું. આગળના બેઠકખાના જેવા એક કમરાના બારણા આગળ એ નિસરણીનો પગથાર આવતે અને ત્યાં એક ગૅલરી જેવું કરી દેવામાં આવ્યું હતું. એ કમરાને બીજા અનેકવિધ સાજસરંજામ ઉપરાંત છ મોટાં અને સુંદર ફ્રેમવાળાં
૪૩