________________
સેતાનના સાગરીતે પણ તે તે તેના સ્વામીની મરજીની વાત છે ને? તેમાં મારે શું કહેવા-મૂકવાનું હોય?”
પણ ઍમી એમ માને છે કે, તમે જ તેના સ્વામીને બહાર ન લઈ જવાની – બહાર ન કાઢવાની સલાહ આપી રહ્યા છો. જે ગુપ્ત એકાંતવાસમાં તેને રહેવું પડે છે, તેના કારણરૂપ તે તમને અને મને માને છે; એટલે મારા અને તમારા પ્રત્યે તેનો ભાવ કોઈ સજા પામેલા માણસને તેના ન્યાયાધીશ અને જેલર પ્રત્યે હોય તેવો અને તેટલું છે, એટલું જાણી રાખજો !”
પણ અહીંથી એને નીકળવું હશે, તે આપણા પ્રત્યેય તેણે વધુ સારો ભાવ રાખતા થવું પડશે. મેં કેટલાંક વજનદાર કારણોને લઈને અમુક સમય સુધી તેને અહીં રાખવાની સલાહ મારા લૉર્ડને આપી છે; અને તેને પૂરા ઠાઠમાઠમાં બહાર કાઢવાની સલાહ પણ હું જ આપી શકું તેમ છું. પરંતુ તે મારી સાથે દુરમનાવટ જ રાખ્યા કરે, તો હું કંઈ ગાંડો નથી કે એવી સલાહ મારા લૉર્ડને આપું. માટે એન્થની, તારે પ્રસંગે પ્રસંગે એ વાત તેને કાને નાખ્યા કરવી; તો હું પણ બદલામાં તારે માટે બે સારા શબ્દો તેને સંભળાવતો રહીશ. એ બાઈએ તેના મિત્રોને પિછાનવા જોઈએ અને તેના દુશમન થવાની કેવી તાકત તેઓ ધરાવે છે તેનું ભાન તેને કરાવવું જોઇએ. દરમ્યાન, તેના ઉપર પૂરતી દેખરેખ રાખ્યા કરજે. તારો ચહેરો અને તારો સ્વભાવ ડાઘિયા કૂતરા જેવો છે એ સારું છે, જેથી ઍમી ઉપર કંઈ કઠોરતા દાખવવી પડે છે, તો તે તારા સ્વભાવને કારણે છે એમ ગણાઈ જાય છે, અને મારા લૉર્ડ અલિપ્ત રહી શકે છે. પણ સાંભળ, કોઈ દરવાજો ઠેકે છે – પહેલાં બારીમાંથી જોઈ લે, કોણ છે – આજની રાતે બીજું કોઈ બહારનું ગમે તે ન આવવું જોઈએ.”
પેલાએ બહાર નજર કરીને કહ્યું, “એ તે માઈકેલ લેમ્બૉર્ન છે.”
“તે એને તે આવવા દે; કદાચ તે એડમન્ડ ટ્રેસિલિયનની કંઈ ખબર લાવ્યો હશે. પણ તેને અહીં ન લાવતો - પેલા બટની લાયબ્રેરીવાળા કમરામાં તેને બેસાડ, હું ત્યાં આવું છું.”
ફોસ્ટર એ પ્રમાણે બાર ગયો એટલે વાને વિચારમાં પડી જઈ, આમતેમ આંટા મારવા લાગ્યો, અને પછી મનોમન ગણગણવા લાગ્યો -