________________
૨૨૪
પ્રીત કિયે દુઃખ હેય બંધ કર્યો હોય તો બહારથી ઉઘાડવા માસ્ટર-ચાવી* આપી મૂકી હતી, એટલે તેણે એ ચાવી વડે અંદરની કળ ફેરવી નાખી અને બારણું ઉઘાડયું.
પણ આ શું? અંદર ઍમી રોબ્સર્ટ ક્યાંથી? કાઉન્ટસને પણ ટ્રેસિલિયનને ત્યાં જોઈ ભારે નવાઈ લાગી, તથા ડર પણ. કારણકે, તેણે પોતાના પતિ અ ઑફ લિસેસ્ટરને ચિઠ્ઠી મોકલી બોલાવ્યો હોવાથી, તે અહીં આવી પહોંચે અને તેને ટ્રેસિલિયન સાથે જુએ, તે તે બધી બાજી હાથથી જ જાય. એટલે તેણે તરત જ પૂછયું,
ટ્રેસિલિયન, તમે અહીં શા માટે આવ્યા છો?”
ટ્રેસિલિયને સામું પૂછયું, “પણ ઍમી, તું અહીં શાથી આવી છે? તું કંઈ મદદ મેળવવાના દાવાથી આવી હશે, તો એક માણસનું હૃદય અને બાહુ જેટલી મદદ આપી શકશે, તેટલી તને અવશ્ય મળશે જ.”
એમી જરા ચૂપ રહી, અને પછી ગુસ્સાભર્યા કરતાં કંઈક દિલગીરીભર્યા અવાજે બોલી, “મારે કશી મદદ જોઈતી નથી, ટ્રેસિલિયન; અને તમે મને મદદ કરો તેના કરતાં નુકસાન જ વધુ કરી બેસો તેમ છો. ખાતરી રાખજો કે, હું અત્યારે એવા માણસની નજીક આવેલી છું, જે કાયદાથી તેમજ પ્રેમથી મારું રક્ષણ કરવા બંધાયેલો છે.”
તે શું વાર્નેએ તારી સાથે લગ્ન કરી દીધું છે, અને હું મારી સામે વાર્નેની કાયદેસર પતનીને જોઈ રહ્યો છું?”
“હું ? વાર્નેની પત્ની? તમે મને કયા હલકા નામ સાથે જોડવાની ધૃષ્ટતા દાખવી રહ્યા છે, હું કે જે—” “કાઉન્ટસ ઑફ લિસેસ્ટર છું” એમ આગળ બોલવા જ તે જતી હતી, તેવામાં તેને યાદ આવ્યું કે, તેના પતિએ તેને એ લગ્નની વાત છૂપી રાખવાની તાકીદ આપેલી છે; કારણ કે, તે વાત ગુપ્ત રહે તે ઉપર તેની આખી ઉન્નતિનો આધાર હતું. એટલે તે તરત સાવધાન થઈ ગઈ અને આગળ બોલતી અટકી ગઈ. તેણે વિચાર્યું કે,
મેં એ વાત ગુપ્ત રાખવા આપેલું વચન તેડવું ન જોઈએ, અને ટ્રેસિલિયન, સસેકસ અને રાણીજી તથા આખા ભેગા થયેલા દરબાર આગળ એ વાત ખુલ્લી થવા દેવી જોઈએ નહિ; ભલે મારે વિશે લોકોમાં ગમે તેવી ખોટી કલ્પનાઓ થોડો વધુ વખત ચાલતી રહે!”
ઘણાં તાળાં ઉઘાડી શકે તેવી ચાવી; તથા બહારની તથા અંદરની કળ ફેરવી શકે તેવી પણું. – સંપા