________________
૧૨૦
પ્રીત કિયે દુઃખ હેય” પણ આખા અંતરમાં ઊંડી ઊતરી જનાર એ વેધક દૃષ્ટિ હેઠળ પણ ભલા વેલૅન્ડના ચહેરા ઉપર કે ચેષ્ટામાં સહેજે ફરક પડયો નહિ.
બસ, આ માણસ તરફથી કંઈ જ બીવાપણું નથી,” સસેકસે ટ્રસેલિયનને કહ્યું, અને પછી એ દવાનો ઘૂંટડો તેમણે ગળામાં ઉતારી દીધો.
વેલૉન્ડે તરત જ આસપાસના સૌને તાકીદ આપી દીધી કે, બહાર બધાએ પોતપોતાની માતાની મરણપથારીએ ઊભા હોય એવી ચુપકીદી જાળવવાની છે, અને આ ઓરડામાં તો કોઈ પણ કારણે કોઈએ આવવાનું નથી.
ચૅમ્બરલિન અને સેક્રેટરી હવે બહાર નીકળી ગયા અને બહાર જઈ તેમણે આખા મકાનમાં સૌને કડક ચુપકીદી જાળવવા તાકીદ આપી.
વેલૅન્ડ મિથે જણાવ્યું હતું તેમ, અર્લને ગાઢી ઊંઘ તરત ઘેરી વળી. પણ એ ઊંઘ એવી ઊંડી હતી કે, તેમની નબળી પડી ગયેલી સ્થિતિમાં તે ફરીથી એ ઊંઘમાંથી ઊઠી શકશે કે કેમ, એવી શંકા હાજર રહેલા ત્રણેને થવા લાગી. વેન્ડ સ્મિથ પણ ચિંતાતુર થઈ અવારનવાશ અર્લના લમણા ઉપર હાથ મૂકીને તપાસ કરવા લાગ્યો; ખાસ કરીને તેમની શ્વાસોચ્છવાસની ક્રિયા નિહાળવા લાગ્યો : શ્વાસ બહુ ઊંડા ચાલતા હતા, પણ બહુ સરળતાથી તેમજ કશા ખચકા વગર ચાલતા હતા.
આખી રાત જાગનારા લોકોની આંખો અને ચહેરા પછીની સવારે કેવા વિચિત્ર થઈ જાય છે! સેઝ-કોર્ટના બધા નિવાસીઓની એવી વલે જ થઈ હતી.
બહારના દરવાજા ઉપર અચાનક થવા લાગેલી ઠોકાઠોક સાંભળી વૉલ્ટર જલદી ઊઠીને બહાર ગયો.
તે થોડી વારમાં પાછો આવ્યો એટલે બ્લાઉંટે તેને પૂછયું, “કેમ અક્કલ-મથાભાઈ, કોણ બહાર દરવાજો ખટખટાવતું હતું?”
રાણીજીએ પોતાના ખાસ વૈદ ડૉકટર માસ્ટર્સને અર્લની તબિયત વિશે પૂછપરછ કરવા મોકલ્યા હતા.”
હું? શું રાણીજીએ માસ્ટર્સને મોકલ્યા હતા? તે તે અર્લ ઉપર હજુ રાણીજીની કૃપાદૃષ્ટિ ચાલુ જ છે એમ કહેવાય; અને તે જો આ