________________
૮. જલેબી બનાવવા સૂર્યોદય પછી આથો તૈયાર કરાવવો.
તેમાં જલદી આથો લાવવા ફૂટ સોડા કે લીંબૂનો વપરાશ કરાય છે. તે દિવસના માવામાંથી ગુલાબજાંબુ-રસગુલ્લા જે દિવસે બનાવ્યા તે જ દિવસે વપરાય. પાકી ચાસણી ન હોવાથી બીજા દિવસે ન વપરાય. વાસી માવો કોઈ વસ્તુમાં
વાપરવો નહિં. ૧૦. દૂધીનો હલવો જે દિવસે બનાવ્યો હોય તે જ દિવસે
વપરાય. બીજા દિવસે ન વપરાય. ૧૧. દૂધનો માવો બનાવેલા દિવસે જ વપરાય પરંતુ તેને
બરાબર ઘીમાં બોળીને તળીને લાલ કરેલો પાકો માવો મિઠાઈના કાળ મુજબ સાકરની ચાસણી પાકી હોય તો
ચાલે. ૧૨. ચુરમું કર્યું હોય તો તે દિવસે જ વપરાય પરંતુ ચુરમાના
વાડું મુઠિયા તળીને ભૂકો કર્યા પછી શેકીને બનાવો
તો મિઠાઈના કાળ મુજબ ચાલે. ૧૩. સેકેલો પાપડ તે જ દિવસે વાપરવો. તળેલો પાપડ બીજા
દિવસે વાપરી શકાય. ૧૪. ફલાવરમાં ત્રસજીવોની હિંસા છે. ન વાપરવું. ૧૫. શાક સમારતા વનસ્પતિમાં રહેલા જીવજંતુની હિંસા ન
થાય તેની કાળજી લેવી. કોબી પાંદડા ખોલી, તપાસી
લેવા. ત્યાગ કરવો ઉત્તમ છે. ૧૬. માટલામાં એક ગ્લાસ ન નાંખવો. ઐઠા પાણીમાં
પંચેન્દ્રિય સંમૂછિમ જીવો થાય છે. ગ્લાસ વાપરીને લૂંછવો. કપ-રકાબી-વાસણ ઐઠા રાખવા નહિં.
(૦).